નવસારી ની સયાજી લાઇબ્રેરી પોતાની પીઢતા ના સવાસો વર્ષ ઉજવે છે

નવસારી ની સયાજી લાઇબ્રેરી પોતાની પીઢતા ના સવાસો વર્ષ ઉજવે છે

નવસારીની દેશભરમાં જાણીતી સયાજી વૈભવ લાઇબ્રેરી એ ખરેખર જ્ઞાનનો વૈભવ છે અને સંસ્કાર નગરી નવસારીનું પારણું છે આ પારણામાંથી અને કોના બાળપણ કિશોર અવસ્થા અને યુવાવસ્થા સાથે કારકિર્દીના જબરદસ્ત ઘડતર થયા છે નવસારીની સયાજી લાઇબ્રેરી એક યુનિવર્સિટી ની જેમ કામ કરે છે અને આ બધા અ વેતન સેવાભાવી સંચાલકો દ્વારા પ્રમાણિક અને પ્રવૃત્તિ સભર સર્વાંગી વહીવટ થાય છે

લાઇબ્રેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ 125 વર્ષની ઉજવણી પ્રસંગે યોજાઇ હતી આરંભે આવકાર પ્રવચનમાં નગર શ્રીસથી એવા મહાજન અને સેવાભાવી સખાવતી પરિવારના પ્રશાંત નરેન્દ્ર પારેખે પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું કે છેલ્લા 125 વર્ષથી આ લાઇબ્રેરી નાનકડા બીજમાંથી અ હવે કબીરવડ બની ચૂકી છે.

સયાજી વૈભવ લાઇબ્રેરીના મહામંત્રી અને અગ્રણી મહિલા કાર્યકર શ્રીમતી માધવી રાજુ ગુજરાતી ઉર્ફે શાહ જણાવ્યું હતું કે સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે અનેક કાર્યક્રમોની હારમાળા આયોજિત થઈ છે જેમાં ગુજરાતના જાણીતા વક્તાઓ લેખકો એવા મીનળબેન દવે,કમલ જોશી ચિંરતના ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેશે અને આઠમી જુલાઈએ મહાત્મા ગાંધી પ્રતિમા ફુવારાથી ગ્રંથ તીર્થ નગરી નવસારીમાં ગ્રંથ યાત્રા નીકળશે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યે શ જા કલેકટર અમિત યાદવજી શ્રોફ ફાઉન્ડેશન ના ઉદય દેસાઈ એન જે ગ્રુપના જીગ્નેશ દેસાઈ તેમજ બીકોનના ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે સયાજી વૈભવ લાઇબ્રેરીમાં સિંહ ફાળો આપનાર  જયપ્રકાશ મહેતા એ જણાવ્યું હતું કે મારા પિતા એવા મદ્રેસા હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક ઉમિયાશંકર મહેતાએ 1925 થી 1975 સુધી જાતે લખેલી હસ્તલિખિત સાહિત્ય કૃતિઓ સાહિત્ય કૃતિ અને નોંધ પણ કરવામાં આવશે પત્રકાર પરિષદમાં દીપક પરીખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *