નવસારી ની સયાજી લાઇબ્રેરી પોતાની પીઢતા ના સવાસો વર્ષ ઉજવે છે

નવસારી ની સયાજી લાઇબ્રેરી પોતાની પીઢતા ના સવાસો વર્ષ ઉજવે છે

નવસારીની દેશભરમાં જાણીતી સયાજી વૈભવ લાઇબ્રેરી એ ખરેખર જ્ઞાનનો વૈભવ છે અને સંસ્કાર નગરી નવસારીનું પારણું છે આ પારણામાંથી અને કોના બાળપણ કિશોર અવસ્થા અને યુવાવસ્થા સાથે કારકિર્દીના જબરદસ્ત ઘડતર થયા છે નવસારીની સયાજી લાઇબ્રેરી એક યુનિવર્સિટી ની જેમ કામ કરે છે અને આ બધા અ વેતન સેવાભાવી સંચાલકો દ્વારા પ્રમાણિક અને પ્રવૃત્તિ સભર સર્વાંગી વહીવટ થાય છે

લાઇબ્રેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ 125 વર્ષની ઉજવણી પ્રસંગે યોજાઇ હતી આરંભે આવકાર પ્રવચનમાં નગર શ્રીસથી એવા મહાજન અને સેવાભાવી સખાવતી પરિવારના પ્રશાંત નરેન્દ્ર પારેખે પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું કે છેલ્લા 125 વર્ષથી આ લાઇબ્રેરી નાનકડા બીજમાંથી અ હવે કબીરવડ બની ચૂકી છે.

સયાજી વૈભવ લાઇબ્રેરીના મહામંત્રી અને અગ્રણી મહિલા કાર્યકર શ્રીમતી માધવી રાજુ ગુજરાતી ઉર્ફે શાહ જણાવ્યું હતું કે સવાસો વર્ષની ઉજવણી પ્રસંગે અનેક કાર્યક્રમોની હારમાળા આયોજિત થઈ છે જેમાં ગુજરાતના જાણીતા વક્તાઓ લેખકો એવા મીનળબેન દવે,કમલ જોશી ચિંરતના ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેશે અને આઠમી જુલાઈએ મહાત્મા ગાંધી પ્રતિમા ફુવારાથી ગ્રંથ તીર્થ નગરી નવસારીમાં ગ્રંથ યાત્રા નીકળશે ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યે શ જા કલેકટર અમિત યાદવજી શ્રોફ ફાઉન્ડેશન ના ઉદય દેસાઈ એન જે ગ્રુપના જીગ્નેશ દેસાઈ તેમજ બીકોનના ડોક્ટર દિનેશ કાલિદાસ જોશી ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે સયાજી વૈભવ લાઇબ્રેરીમાં સિંહ ફાળો આપનાર  જયપ્રકાશ મહેતા એ જણાવ્યું હતું કે મારા પિતા એવા મદ્રેસા હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક ઉમિયાશંકર મહેતાએ 1925 થી 1975 સુધી જાતે લખેલી હસ્તલિખિત સાહિત્ય કૃતિઓ સાહિત્ય કૃતિ અને નોંધ પણ કરવામાં આવશે પત્રકાર પરિષદમાં દીપક પરીખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *