નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા આયોજિત સમારોહમાં પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના દિકરા, દિકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આજરોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડી, નવસારી ખાતે યુવા કોળી સમાજ સંગઠન, નવસારી દ્વારા ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે સમાજનું આગવી શૈલીમાં નેતૃત્વકર્તા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના ઉત્કર્ષ અને સમાજમાં વધુને વધુ શિક્ષણનો વ્યાપ વધે તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ અપવવા માટે સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અગ્રણીઓને વધુને વધુ કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીકુંવરજીભાઇ એ જણાવ્યું કે  દરેક સમાજના વિકાસનો પાયો માત્ર શિક્ષણ જ હોવાનું જણાવી દિવસે ને દિવસે વધતી જતી આધુનિકતા તેમજ ટેકનોલોજીના આ યુગમાં સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે કામે લાગી જવા હાકલ કરી હતી.

૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ અભ્યાસક્રમોમાં અનેરી સિદ્ધિ હાંસિલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મંત્રીના વરદ્દહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ મનુભાઇ ચાવડા, સુનિલભાઇ મકવાણા, ડો.મુકેશભાઇ મકવાણા, દિલીપભાઇ શિયાળ, જયસુખભાઇ મકવાણા, પરેશભાઇ ભાલીયા સહિતના સેવાકીય પ્રવૃતિ કરતા સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કેળવણીકારો, અધિકારી તથા કર્મચારીઓ, સમાજના ઉત્થાન માટે સતત પ્રયાસો કરનાર યુવાનો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *