નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

નવસારી ખાતે ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

યુવા કોળી સમાજ સંગઠન નવસારી દ્વારા આયોજિત સમારોહમાં પાણીપુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના દિકરા, દિકરીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

આજરોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડી, નવસારી ખાતે યુવા કોળી સમાજ સંગઠન, નવસારી દ્વારા ૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે સમાજનું આગવી શૈલીમાં નેતૃત્વકર્તા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સમાજના ઉત્કર્ષ અને સમાજમાં વધુને વધુ શિક્ષણનો વ્યાપ વધે તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આધુનિક ટેકનોલોજીના યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ અપવવા માટે સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અગ્રણીઓને વધુને વધુ કાર્યશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે મંત્રીકુંવરજીભાઇ એ જણાવ્યું કે  દરેક સમાજના વિકાસનો પાયો માત્ર શિક્ષણ જ હોવાનું જણાવી દિવસે ને દિવસે વધતી જતી આધુનિકતા તેમજ ટેકનોલોજીના આ યુગમાં સમાજમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે કામે લાગી જવા હાકલ કરી હતી.

૭મો સ્નેહમિલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વિવિધ અભ્યાસક્રમોમાં અનેરી સિદ્ધિ હાંસિલ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મંત્રીના વરદ્દહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ મનુભાઇ ચાવડા, સુનિલભાઇ મકવાણા, ડો.મુકેશભાઇ મકવાણા, દિલીપભાઇ શિયાળ, જયસુખભાઇ મકવાણા, પરેશભાઇ ભાલીયા સહિતના સેવાકીય પ્રવૃતિ કરતા સામાજિક અગ્રણીઓ, શૈક્ષણિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર કેળવણીકારો, અધિકારી તથા કર્મચારીઓ, સમાજના ઉત્થાન માટે સતત પ્રયાસો કરનાર યુવાનો, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *