આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ભારત દેશની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ સ્વતંત્રતાની લડાઇના લડવૈયાઓનું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની હસ્તે પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આજે નવસારી જિલ્લાના સરપોર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ગોવિંદભાઇ પટેલના પત્ની પુષ્પાબેન પટેલને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. સાથે ચરખો પણ અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ અને દાખવેલી બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ. સાથે, તેમના પરિવારજનો આજે આપણી સાથે છે તે પણ એક ભાગ્યશાળી ક્ષણ છે. વધુમાં, કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓને નવસારી જિલ્લાનું ગૌરવ ગણાવી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ અગાઉ નવસારી જિલ્લાના પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો/ આશ્રિતોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ગણદેવીના ઇન્દિરાબહેન એમ દેસાઈનું સન્માન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, કરાડીના લક્ષ્મીબેન એમ પટેલનું સન્માન જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, કરાડીના રામીબેન જે. પટેલનું સન્માન નવસારીના નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી, કરાડી ગામના પાર્વતીબેન એમ પટેલનું સન્માન પ્રાંત અધિકારી આર.આર.બોરડ અને કરાડી ગામના રમાબેન એમ પટેલનું સન્માન નવસારીના નાયબ કલેકટર કે.જી.વાઘેલાએ કરેલ હતું.

આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો/આશ્રિતોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *