આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ નવસારી જિલ્લાના છ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

ભારત દેશની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ સ્વતંત્રતાની લડાઇના લડવૈયાઓનું જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની હસ્તે પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આજે નવસારી જિલ્લાના સરપોર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ગોવિંદભાઇ પટેલના પત્ની પુષ્પાબેન પટેલને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. સાથે ચરખો પણ અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ અને દાખવેલી બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ. સાથે, તેમના પરિવારજનો આજે આપણી સાથે છે તે પણ એક ભાગ્યશાળી ક્ષણ છે. વધુમાં, કલેકટરે સ્વાતંત્ર્ય સેનાનીઓને નવસારી જિલ્લાનું ગૌરવ ગણાવી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ અગાઉ નવસારી જિલ્લાના પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો/ આશ્રિતોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ગણદેવીના ઇન્દિરાબહેન એમ દેસાઈનું સન્માન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, કરાડીના લક્ષ્મીબેન એમ પટેલનું સન્માન જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, કરાડીના રામીબેન જે. પટેલનું સન્માન નવસારીના નિવાસી અધિક કલેકટર કેતન પી જોષી, કરાડી ગામના પાર્વતીબેન એમ પટેલનું સન્માન પ્રાંત અધિકારી આર.આર.બોરડ અને કરાડી ગામના રમાબેન એમ પટેલનું સન્માન નવસારીના નાયબ કલેકટર કે.જી.વાઘેલાએ કરેલ હતું.

આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો/આશ્રિતોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *