નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) વિષય નિષ્ણાત ડો. જોસ મેગ્લેનની નવસારી અને વલસાડ ખાતે મુલાકાત:ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું.

નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) વિષય નિષ્ણાત ડો. જોસ મેગ્લેનની નવસારી અને વલસાડ ખાતે મુલાકાત:ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત MIDH (mission for integrated development of horticulture) યોજનાનાં ઇન્ડૉ-ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત ડો. જોસ મેગ્લેને નવસારીમાં ગ્રીનહાઉસમાં મૂલ્યવાન ઓર્કિડ, જરબેરા, જીપસોફિલા જેવા પાકોની ખેતી કરતા ખેડૂતો સાથે ગ્રીનહાઉસની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા, આસપાસ આવી ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને સુરત માર્કેટમાં ફૂલોનો જથ્થાબંધ વેપાર કરતા ખેડૂતો સાથે ફૂલોની ખેતી માટે કાળજીઓ, વેચાણ વ્યવસ્થા અંગે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડો. જોસ મેગ્લેનની આ મુલાકાત દરમ્યાન ફૂલોની ખેતી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ પોતાના પ્રશ્નો રજૂ કરી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રવાસના બીજા દિવસે નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે બાગાયત કોલેજના પ્રિન્સિપાલ, ફુલપાક વિભાગના વૈજ્ઞાનિકો, દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓના બાગાયત અધિકારીઓ સાથે બેઠક કરીને ભવિષ્યમાં ઇન્ડો -ડચ પ્રોજેક્ટ અંતર્ગત “સેન્ટર ઓફ એક્સલન્સ” ઊભું કરવાથી શું ફાયદા થઇ શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મુલાકાતના અંતમાં વલસાડ જિલ્લામાં ચણવઈ ખાતે બાગાયત વિભાગના હાલ ચાલી રહેલ ફુલપાક અને આંબાપાકના “સેન્ટર ઓફ એક્સલન્સ” ની મુલાકાત લઇ સેન્ટર ખાતે ફૂલોની ખેતી સાથે સંકાળાયેલ 30 પ્રગતિશીલ ખેડૂતો સાથે બેઠક કરી ફૂલ પાકની સફળ ખેતી અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું .

ડો. જોસ મેગ્લેનની દક્ષિણ ગુજરાતની બે-દિવસીય મુલાકાતથી ફૂલપાકોની આધુનિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને ઘણો ફાયદો થશે તેવી સુરતના સંયુક્ત બાગાયત નિયામક ડો. એચ. એમ. ચાવડાએ આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમ્યાન નાયબ બાગાયત નિયામક-નવસારી દિનેશ પડાલિયાએ સાથે રહી જરૂરી ફિલ્ડ વિઝીટ અને મિટિંગોનું સફળ આયોજન કર્યું હતું.

 

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *