નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) વિષય નિષ્ણાત ડો. જોસ મેગ્લેનની નવસારી અને વલસાડ ખાતે મુલાકાત:ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું.

નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર (ફુલોની ખેતી) વિષય નિષ્ણાત ડો. જોસ મેગ્લેનની નવસારી અને વલસાડ ખાતે મુલાકાત:ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત MIDH (mission for integrated development of horticulture) યોજનાનાં ઇન્ડૉ-ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત ડો. જોસ મેગ્લેને નવસારીમાં ગ્રીનહાઉસમાં મૂલ્યવાન ઓર્કિડ, જરબેરા, જીપસોફિલા જેવા પાકોની ખેતી કરતા ખેડૂતો સાથે ગ્રીનહાઉસની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા, આસપાસ આવી ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને સુરત માર્કેટમાં ફૂલોનો જથ્થાબંધ વેપાર કરતા ખેડૂતો સાથે ફૂલોની ખેતી માટે કાળજીઓ, વેચાણ વ્યવસ્થા અંગે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડો. જોસ મેગ્લેનની આ મુલાકાત દરમ્યાન ફૂલોની ખેતી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ પોતાના પ્રશ્નો રજૂ કરી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રવાસના બીજા દિવસે નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે બાગાયત કોલેજના પ્રિન્સિપાલ, ફુલપાક વિભાગના વૈજ્ઞાનિકો, દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓના બાગાયત અધિકારીઓ સાથે બેઠક કરીને ભવિષ્યમાં ઇન્ડો -ડચ પ્રોજેક્ટ અંતર્ગત “સેન્ટર ઓફ એક્સલન્સ” ઊભું કરવાથી શું ફાયદા થઇ શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મુલાકાતના અંતમાં વલસાડ જિલ્લામાં ચણવઈ ખાતે બાગાયત વિભાગના હાલ ચાલી રહેલ ફુલપાક અને આંબાપાકના “સેન્ટર ઓફ એક્સલન્સ” ની મુલાકાત લઇ સેન્ટર ખાતે ફૂલોની ખેતી સાથે સંકાળાયેલ 30 પ્રગતિશીલ ખેડૂતો સાથે બેઠક કરી ફૂલ પાકની સફળ ખેતી અંગે તેઓએ માર્ગદર્શન આપ્યું હતું .

ડો. જોસ મેગ્લેનની દક્ષિણ ગુજરાતની બે-દિવસીય મુલાકાતથી ફૂલપાકોની આધુનિક ખેતી સાથે સંકળાયેલ ખેડૂતોને ઘણો ફાયદો થશે તેવી સુરતના સંયુક્ત બાગાયત નિયામક ડો. એચ. એમ. ચાવડાએ આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમ્યાન નાયબ બાગાયત નિયામક-નવસારી દિનેશ પડાલિયાએ સાથે રહી જરૂરી ફિલ્ડ વિઝીટ અને મિટિંગોનું સફળ આયોજન કર્યું હતું.

 

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *