નવસારી “સંસ્કારી નગરી” આપનું સ્વાગત નહિં પરતું “ખાડા નગરી” નવસારી આપનું હાર્દિક સ્વાગત છે.

નવસારી “સંસ્કારી નગરી” આપનું સ્વાગત નહિં પરતું “ખાડા નગરી” નવસારી આપનું હાર્દિક સ્વાગત છે.

નવસારી શહેર સહિત તાલુકામાં માત્ર આ વર્ષે 22 ઈંચ વરસાદ નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓના ધોવાણ અને નવસારી શહેર “ખાડા નગરી” બની

નવસારી એટલે સયાજી નગરી, સંસ્કારી નગરી,વાંચન નગરી નહિં પરંતું ખાડા નગરી તરીકેનું ઉપનામ આપવું યોગ્ય ગણાશે.હાલ વરસાદ ઋતુની શરૂઆત થઈ છે.તેની સાથે શહેરીજનો સતત મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેરની જનતાએ ખોબે ખોબા ભરીને મતો આપી 51 જેટલી વિક્રમ સર્જક સીટો આપી પરતું નવસારી શહેરની જનતા એક સારા રસ્તાઓ પણ આપી શકી નથી.

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તાર શહેરના મુખ્ય માર્ગ ખાડાઓ ખાડાઓ કાલીયાવાડી કલેકટર થી જુનાથાણા હોય કે જુનાથાણા થી કોર્ટ કે ડેપો એસ.પી ઓફિસ કે ટાવર થી વિરાવળ કે ટાવર થી સ્ટેશન જવાનો માર્ગ જ્યાં જુઓ ત્યાં બસ ખાડા ખાડા રસ્તાઓ બેહાલ હાલતમાં છે. જુનાથાણા થી સયાજી વૈભવ લાઇબ્રેરી પણ અનેક ખાડાઓ શહેરવાસીઓ કમર દુખાવો કે જેનું શરીર દુખાવો દૂર કરવાની જગ્યાએ વધારો કરવો હોય તો શહેરમાં મોટર સાયકલ કે કાર લઇ નીકળો ખબર પડે.

શહેરની જનતાએ ત્રાહિમામ પોકારી ગઈ છે. નવસારી ટાઉન શહેરીબાવાઓ કે ચીફ ઓફિસર પ્લાનિંગ ઓફિસર હોય જુના રસ્તાઓ ઉપર રી કાર્પેટીંગ કરીને શહેરના નવા રસ્તાઓ આપી ને વિકાસ વાતો કરે છે.ઘણા શેરી( મોહલ્લા) અને સોસાયટીઓ તથા મુખ્ય માર્ગ એવા હાલ થઈ ગયા છે. ઘણા રસ્તાઓ એવા થઈ બની ગયા કે રસ્તાઓ ઉચા અને મકાન તેમજ દુકાનો નીચા થઈ ગયા છે. થોડો વરસાદ વર્ષે નહિં પાણી અંદર ધુસી જાય છે.

સુધરાઈ સભ્યો હોય કે અધિકારીઓ હોય શા માટે ર પાણી નિકાલ કે ઢાળ આપ્યા વગર આડેધડ બનાવવામાં આવી રહ્યા છે. શા માટે રસ્તાઓ ખોદી બનાવવામાં આવે તો વધુ લાંબો સમય ટકી શકે છે.શહેરની જનતા આપને અગવડ ભોગવવા તૈયાર છે. પણ સારા રસ્તાઓ આપે તેવું શહેરવાસીઓ કહી રહ્યા છે

 

ખાડા નગરી નવસારીમાં વરસાદની ઋતુમાં ઠેક ઠેકાણે કામ ચલાવ હંગામી ધોરણે ખાડો પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે થવી જોઈએ. જેની સદંતર ઉપેક્ષા માઇનોર રીપેરીંગ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા એમ કહેવામાં પણ ખુશ થઈએ છીએ.

 

પરંતુ ગુજરાતની સૌથી વધુ ખાડા વાળી નગરપાલિકા એમ ચલાવી લેવામાં આપણને જરા પણ શરમ નથી. વૃદ્ધોના હાડકા ભાગે પ્રસુતાને વિના હોસ્પિટલે પ્રસુતિ થઈ જાય વાહનો ભાંગી તૂટીને ભુક્કો થઈ જાય તો પણ નવસારી રુવાડું ફરકતું નથી. જિલ્લા કલેકટરે પણ વડા મથક નવસારીની વર્ષાઋતુ દરમિયાન હંગામી ધોરણે ખાડા પુરાઈ માટે પાલિકા તંત્રનો કાન આમળવો રહ્યો તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *