નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ

નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ

નવસારી જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક આજે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને આયોજન કરી સતત કાર્યશીલ રહેવા જણાવ્યું હતું. સાથે, યોજનાકીય કામગીરીની યોગ્ય જાણકારી લોકો અને લાભર્થીઓ સુધી પહોંચે તે માટે જનજાગૃતિ કેળવવાનો વિશેષ અનુરોધ કર્યો હતો.

દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ગોબરધન પ્રોજેક્ટ, શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન પ્રોજેક્ટ, સર્વ શિક્ષા અભિયાન, લીડ બેંકની તથા પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. અને, ફાળવેલ ગ્રાંટ અંતર્ગત લક્ષ્યાંકો પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આજની દિશાની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, વાંસદા પ્રાયોજના વહિવટી અધિકારી આનંદુ સુરેશ, પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ વન સંરક્ષક નિશા રાજ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.એસ.ગઢવી, નગરપાલિકાના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *