વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી)થી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ ઇન્ફેકશનથી થનારી અસરોને ખાળી શકાય.

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલું અવશ્ય કરો. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાંતરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેમ કે હોટલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસ.ટી.સ્ટેન્ડ, મોલ ઇત્યાદિમાં સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવું. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચીપડા વળે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર કરાવવી. પોતાની જાતે ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ સારવાર ન કરવી. ડોક્ટરે દર્શાવેલ ટીપાં નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવો.

પરિવારમાં જે દર્દીને કન્જક્ટિવાઇટિસની અસર થયેલ હોય તેણે પોતાના હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખી તથા બીજા સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો વાયરલ કન્જક્ટિવાઇટિસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઈ જવાની જરૂર નથી. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખો અને ચશ્મા પહેરી ઘરની બહાર જવું. તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખી અને ડોક્ટરની સૂચના મુજબ ફરી બતાવવા હોસ્પિટલ ખાતે જવું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, નવસારીની યાદીમાં જણાવાયું છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *