વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી)થી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ ઇન્ફેકશનથી થનારી અસરોને ખાળી શકાય.

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલું અવશ્ય કરો. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાંતરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેમ કે હોટલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસ.ટી.સ્ટેન્ડ, મોલ ઇત્યાદિમાં સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવું. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચીપડા વળે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર કરાવવી. પોતાની જાતે ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ સારવાર ન કરવી. ડોક્ટરે દર્શાવેલ ટીપાં નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવો.

પરિવારમાં જે દર્દીને કન્જક્ટિવાઇટિસની અસર થયેલ હોય તેણે પોતાના હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખી તથા બીજા સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો વાયરલ કન્જક્ટિવાઇટિસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઈ જવાની જરૂર નથી. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખો અને ચશ્મા પહેરી ઘરની બહાર જવું. તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખી અને ડોક્ટરની સૂચના મુજબ ફરી બતાવવા હોસ્પિટલ ખાતે જવું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, નવસારીની યાદીમાં જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *