કોઈ ગુરુ કેમ મંત્ર જાપના બંધન વિના પણ શ્વાસની પ્રક્રિયાને અનુભવી જીવનસમૃદ્ધ બને છે: પરિપત્રિ પિરામિડ મેડીટેશન ગુરુ

કોઈ ગુરુ કેમ મંત્ર જાપના બંધન વિના પણ શ્વાસની પ્રક્રિયાને અનુભવી જીવનસમૃદ્ધ બને છે: પરિપત્રિ પિરામિડ મેડીટેશન ગુરુ

તમારો શ્વાસ જ તમારો ગુરુ છે એમાં પૈસાની કોઈ લેણદણ જરૂરી જ નથી આલેખ્યા શાસ્ત્રી સીએ અને ધ્યાન વિશેષજ્ઞ:અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે વાંચ એ જ વિજ્ઞાન છે એમ મહત્વનો વાર્તાલાપ યોજાયો

જીવનમાં અને મનમાં ચાર પ્રકારના વિચારો હોય છે જેમાં વધુ પડતી કારણ વિનાની ચિંતા તેમજ નકારાત્મક ચિંતાનું વલણ ત્રીજું હકારાત્મક વલણ ની ચિંતા અને ચોથું ચમત્કારી ચિંતાનું વલણ આ તમામ જીવનની રીતછે અને તેનો ઉકેલ સમૃદ્ધ બનવા માટે કોઈ ધર્મ કોઈ ગુરુ કોઈ મંત્ર જાપ ની જરૂર નથી આપણા શ્વાસ ઉછવાસનું નિરીક્ષણ અને એને તાલીમ આપીએ તો જીવન નવી ઊર્જાથી ભરી આંતરિક સમૃદ્ધ બને છે આ માટે એક પણ પૈસો લેવડ દેવડ ની જરૂર જ નથી સૌથી ધનાધ્ય માણસ કે ગરીબ લારી વાળો પણ શ્વાસની પ્રક્રિયાને ઓળખી લેતો. આંતરિક સમૃદ્ધિ અને નવું ચેતન્ય પ્રાપ્ત થાય છે તમારો શ્વાસ જ તમારો ગુરુ અને એ જ તમારું વિજ્ઞાન છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે પ્રમુખ જીગ્નેશ દેસાઈ અને મહામંત્રી હાર્દિક નાયક ના નેતૃત્વમાં પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈના સથવારે યોજાયેલા મેડીટેશન પિરામિડ નામના મહત્વના કાર્યક્રમમાં ધ્યાન વિશેષજ્ઞ પ્રણેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આંધ્રપ્રદેશના કુમારી પરિપત્રિ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિશેષ વક્તા કુમારી આલેખ્યા શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ ગુરુ કે મંત્ર જાપના બંધનમાં પડવાની જરૂર નથી તેમ જ આત્મ કલ્યાણ અને આંતરિક સમૃદ્ધિ માટે ધ્યાન માટે જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે કોઈ ગુરુ ના ફોટાઓ મૂકી ધ્યાન ધરવાની જરૂર નથી આપણા અંદર બહાર આવતા જતા શ્વાસ નું નિરીક્ષણ એ જ મહત્વના છે પિરામિડ પદ્ધતિથી ધ્યાનમાં નવીન ઉર્જા આવે છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ દ્વારા આવકાર તથા મંત્રી હાર્દિક નાયક અને લલિત પંડ્યા તથા સુનિલ દેસાઈ દ્વારા પ્રાસંગિક ભૂમિકા અને વક્તાઓ નો પરિચય યુનિવર્સિટીના સેનેટ સભ્ય શ્રીમતી અરુંધતી દેસાઈ તેમજ શ્રીમતી મેઘા નાયક અને સંચાલન ફાલ્ગુની સુનીલ દેસાઈ દ્વારા થયું હતું ધ્યાન પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ પણ સૌ શ્રોતાજનોને કરાવવામાં આવ્યું હતું. ઋણ સ્વીકાર શ્રીમતી શિલ્પા સંજય પ્રધાન દ્વારા થયો હતો.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *