“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન :નવસારી જિલ્લામાં આજે પ્રથમ દિવસે 97 ગામડાઓમાં મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ

“મારી માટી, મારો દેશ” – માટીને નમન, વીરોને વંદન :નવસારી જિલ્લામાં આજે પ્રથમ દિવસે 97 ગામડાઓમાં મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ

માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનાર “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ આજે નવસારી જિલ્લા ના 97 ગામડાઓમાં કરવામાં આવ્યો હતો . જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં સામેલ થઈ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવવી રહયા છે.

આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમ થયા હતા અને આવનાર સમયમાં યોજાશે.

આ કાર્યકરામ અંતર્ગત નવસારી જિલ્લાના ગ્રામ પંચાયતોમાંથી કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લાવવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ ગ્રામજનો દ્વારા કરવામાં આવશે.

નવસારી જિલ્લાના તમામ ગામમાં ૭૫ જેટલા રોપાઓ વાવવા તેમજ તેની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ સાથે સંકલન કરાયું છે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *