નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૦૮ જેટલા અરજદારોએ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે પાર્કિંગ ખુલ્લુ કરવા બાબત, નામ સુધારણા, સરકારી પડતર ખરાબાની જગ્યા મંજૂર કરેલ, સ્ટોક રજીસ્ટ્રેશન બાબત, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કારખાના દૂર કરવા બાબત, બારોબાર રકમ પચાવી પાડનાર સામે આરોપી સામે કાર્યવાહી, પ્રતિબંધિત ઝાડ પરવાનગી વિના કાપવા બાબત અને રસ્તા બાબત સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળ્યા હતાં. અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો મહદ્અંશે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિત સંબંધિત મામલતદારો, કર્મચારીઓ અને જિલ્લાના અરજદારો આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *