નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૦૮ જેટલા અરજદારોએ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે પાર્કિંગ ખુલ્લુ કરવા બાબત, નામ સુધારણા, સરકારી પડતર ખરાબાની જગ્યા મંજૂર કરેલ, સ્ટોક રજીસ્ટ્રેશન બાબત, રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર કારખાના દૂર કરવા બાબત, બારોબાર રકમ પચાવી પાડનાર સામે આરોપી સામે કાર્યવાહી, પ્રતિબંધિત ઝાડ પરવાનગી વિના કાપવા બાબત અને રસ્તા બાબત સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળ્યા હતાં. અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો મહદ્અંશે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મદદનીશ કલેકટર ઓમકાર શિંદે, નિવાસી અધિક કલેકટર કેતન જોશી સહિત સંબંધિત મામલતદારો, કર્મચારીઓ અને જિલ્લાના અરજદારો આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *