મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ફરી એક વખત સંગઠનલક્ષી અને જનતાના હિતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે આજે તેમના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં  સી.આર.પાટીલએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકરો પક્ષમાં તેમની રજૂઆત કરી શકે તેનો અધિકાર છે.

પાર્ટીમાં નવા કાર્યકરોને તક મળે અને અનુભવ મળે તે માટે મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા- જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશન અંગે એક મહત્વનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે .

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠકો જીતી છે તેના કારણે નવા લોકોને તક મળે તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ લોકહિત માટે થાય.સામાન્ય સીટ પર સામાન્ય ને જ જવાબદારી આપવી, દરેક કાર્યકર્તાની સિનિયોરીટી, કામ કરવાની પદ્ધતિ સહિતના પાસાને ધ્યાને રાખી જવાબદારી આપવામાં આવશે. આ નિર્ણયને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજય ચૂંટણી પસંદગી સમિતિમાં જાહેરાત કરવામાં આવશે જેથી જનતાની સેવા વધુ સારી રીતે કરવામાં સફળતા મળે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *