મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ફરી એક વખત સંગઠનલક્ષી અને જનતાના હિતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે આજે તેમના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં  સી.આર.પાટીલએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકરો પક્ષમાં તેમની રજૂઆત કરી શકે તેનો અધિકાર છે.

પાર્ટીમાં નવા કાર્યકરોને તક મળે અને અનુભવ મળે તે માટે મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા- જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશન અંગે એક મહત્વનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે .

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠકો જીતી છે તેના કારણે નવા લોકોને તક મળે તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ લોકહિત માટે થાય.સામાન્ય સીટ પર સામાન્ય ને જ જવાબદારી આપવી, દરેક કાર્યકર્તાની સિનિયોરીટી, કામ કરવાની પદ્ધતિ સહિતના પાસાને ધ્યાને રાખી જવાબદારી આપવામાં આવશે. આ નિર્ણયને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજય ચૂંટણી પસંદગી સમિતિમાં જાહેરાત કરવામાં આવશે જેથી જનતાની સેવા વધુ સારી રીતે કરવામાં સફળતા મળે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *