મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશનનો એક નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. : સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં ફરી એક વખત સંગઠનલક્ષી અને જનતાના હિતને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે આજે તેમના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં  સી.આર.પાટીલએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. કાર્યકરો પક્ષમાં તેમની રજૂઆત કરી શકે તેનો અધિકાર છે.

પાર્ટીમાં નવા કાર્યકરોને તક મળે અને અનુભવ મળે તે માટે મેયર,ડે.મેયર,સ્ટેન્ડિંગ કમિટિ,તાલુકા- જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દામાં નો રિપિટેશન અંગે એક મહત્વનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે .

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠકો જીતી છે તેના કારણે નવા લોકોને તક મળે તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ લોકહિત માટે થાય.સામાન્ય સીટ પર સામાન્ય ને જ જવાબદારી આપવી, દરેક કાર્યકર્તાની સિનિયોરીટી, કામ કરવાની પદ્ધતિ સહિતના પાસાને ધ્યાને રાખી જવાબદારી આપવામાં આવશે. આ નિર્ણયને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજય ચૂંટણી પસંદગી સમિતિમાં જાહેરાત કરવામાં આવશે જેથી જનતાની સેવા વધુ સારી રીતે કરવામાં સફળતા મળે.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *