શ્રી સમસ્ત નવસારી જૈન સંઘ,નવસારી ધ્વારા પર્યુષણમાં કતલખાના બંધ કરવા અપીલ
- Local News
- September 11, 2023
- No Comment
આવતીકાલ 12 મી સપ્ટેમ્બરથી શરૂ થતાં 9 દિવસના પર્યુષણ પર્વમાં કતલખાના થતાં મીટ શોપ બંધ કરવા સમસ્ત જૈન સંઘ દ્વારા નવસારી કલેકટરને આવેદનપત્ર અપાયું
જૈન સમાજનો મહાપર્વ પર્યુષણ આવતીકાલ 12મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધી યોજાશે. જે દરમિયાન શહેર અને જિલ્લામાં મરઘી તેમજ બકરા કતલખાના, મરઘી વેચાણની દુકાનો ઈંડા શોપ તેમજ તમામ નોનવેજની દુકાનો બંધ કરવા માટે અપીલ કરતું આવેદન જિલ્લા કલેકટરને આજે આપવામાં આવ્યું છે.

જૈનોના પર્યુષણ પર્વમાં હિંસા રોકવા માટે જૈન સમાજ દર વર્ષે જિલ્લા કલેકટરને આવેદન આપે છે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જૈન સમાજ દ્વારા પવિત્ર 9 દિવસો દરમ્યાન કતલખાના તેમજ માસ મચ્છીનું વેચાણ થતું હોય તેવી દુકાનો તેમજ હોટલો બંધ રાખવા માટે આવેદન આપ્યું હતું. આવેદનમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ નું પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમાં ધાર્મિક તહેવારો દરમિયાન પ્રાણીની કતલ થઈ શકતી નથી
આ મામલે હવે જિલ્લા કલેકટર શું નિર્ણય લે છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરે છે કે કેમ તેની અંગે જૈન સમાજ કલેકટર ના નિર્ણયની રાહ જોશે.