નવસારી જિલ્લાના વડા મથક નવસારી ખાતે ગણેશ વિસર્જન માટે 1900 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નવસારી જિલ્લાના વડા મથક નવસારી ખાતે ગણેશ વિસર્જન માટે 1900 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સમગ્ર નવસારી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ ના નેતૃત્વમાં ચાર ડીવાયએસપી 18 પોલીસ ઇન્સ્પેક્ટર 22 પીએસઆઇ 676 પોલીસ કર્મીઓ 550 હોમગાર્ડ 538 જીઆરડી અને 92 એસઆરડી વગેરે મળી 2000 થી વધુ વિસર્જન ફરજ બજાવશે નવસારી જિલ્લા કલેકટર અમિત યાદવજી દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્ર મહેસૂલતંત્ર અને સેવા સંગઠનો જોડે સંકલન થઈ રહ્યું થયું છે. જિલ્લાના અધિક નિવાસી કલેકટર કેતન જોશી અને ટીમ પણ જિલ્લાના કાયદો વ્યવસ્થા પર મોનિટરિંગ કરશે. નવસારી સમસ્ત ગણેશ મંડળ સંગઠનના પ્રમુખ નરેશ ઢીમ્મર, મુકેશ પટેલ, યોગેશ ચાનપુરા, પ્રવિણ મરાઠી સહિત અનેક સેવાભાવીઓ મોડી રાત સુધી ખડે પગે સેવા બજાવશે.

નવસારી જિલ્લામાં નવસારી પાલિકા ટીમ બીલીમોરા પાલિકા ટીમ ગણદેવી પાલિકા ટીમ તેમજ ચીખલી વાંસદા અને ખેરગામમાં પણ સ્થાનિક સેવાભાવી સંગઠનો જોડે સંકલન દ્વારા કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવામાં આવી છે. નવસારી થી સુરત બારડોલી અને મુંબઈ આવવા જવા હાઇવે નો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. નવસારી થી સુરત બારડોલી અને મુંબઈ જવા માટે વાહન ચાલકોએ લુન્સીકુઈ થી દશેરા ટેકરી થઈ સુરત કે બારડોલી તેમજ બીલીમોરા ગણદેવી ચીખલી સાપુતારા તેમજ મુંબઈ જવા માટે ઇટાળવા તરફથી નેશનલ હાઈવે તરફ જવાનો આદેશ અપાયો છે.

નવસારી શહેર વિસ્તારમાં 4,000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. જ્યારે જલાલપુર વિભાગમાં સંતોષી માતા ઓવારો અને દાંડી તથા ઉભરાટ ખાતે દરિયામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે તેમજ નદી નજીકના ગામો પણ પોતપોતાના નજીક પરંપરાગત ગણેશ વિસર્જન કરશે કરશે

ચીખલી ખાતે કાવેરી નદીના રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન થશે બીલીમોરા શહેરમાં 200 જેટલા પોલીસકર્મીઓ ફરજ પરસતી દાખવશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *