રાષ્ટ્રના ઐતિહાસિક સ્થળ એવા આઝાદીના પ્રવેશદ્વાર દાંડી ખાતે મહાત્મા ગાંધીની જન્મ જયંતી ઉજવણી થઈ

રાષ્ટ્રના ઐતિહાસિક સ્થળ એવા આઝાદીના પ્રવેશદ્વાર દાંડી ખાતે મહાત્મા ગાંધીની જન્મ જયંતી ઉજવણી થઈ

નવસારી જિલ્લા પંચાયત ના નવોદિત સક્ષમ પ્રમુખ પરેશ દેસાઈ, નાયબ પોલીસ વડા વી એન પટેલ, જલાલપુર તા.પં. પ્રમુખ નીલમબેન પટેલ તેમજ કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ વિગેરે દ્વારા ગાંધી વંદના કરવામાં આવી હતી

આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા નમક સત્યાગ્રહ સ્થળ દાંડી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જન્મ જયંતી પ્રસંગે વંદના કરવાનો સુંદર કાર્યક્રમ નવસારી જિલ્લા મહેસુલ તંત્ર અને પ્રવાસન નિગમ દ્વારા આયોજિત થયો હતો .

મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના તરવરીયા પ્રમુખ પરેશ દેસાઈ એ પોતાના પ્રાસર્ગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે દાંડીની આ ભૂમિએ વિશ્વના ઇતિહાસમાં સત્યાગ્રહ દ્વારા સ્વતંત્રતા મળી શકે તેની વિશ્વવ્યાપી પ્રેરણા આપી છે .

નમક સત્યાગ્રહથી આ દાંડી સત્ય -આઝાદી માટે દીવાદાંડી બની ચૂક્યું છે .રાષ્ટ્રીય નેતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા દૂરંદેશી પૂર્વક ગાંધીને હૃદયમાં સ્થાન આપી દેશ વિદેશના પર્યટકો મુલાકાત લઈ શકે તેવું સુંદર પર્યટક સ્થળ બનાવાયું છે.આજે સમગ્ર જિલ્લા વતી થી ગાંધી વંદના કરતા આનંદ અને ગૌરવ અનુભવું છું .

જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ નીલમબેન પટેલ, નાયબ પોલીસ વડા વી એન પટેલ, તાલુકાના કારોબારી અધ્યક્ષ હિરેન પટેલ , દાંડી સરપંચ નીલમબેન તેમજ મામલતદાર મૃણાલ ઇસરાણી તથા સર્વશ્રી ગૌતમ મહેતા, ડો.કાળુભાઈ ડાંગર ,સુરતના સોકત મિર્ઝા વગેરે દ્વારા ગાંધી પ્રતિમા ને સુતરની આંટી સાથે પ્રાસંગિક ભજનાવલી સ્વર આગ્રહ ની ઉપસ્થિત એ મજા માણી હતી.જલાલપોરના યુવાન મામલતદાર ઈસરાણી અને ટીમ દ્વારા થયેલું આયોજન કાબિલે દાદ હતું.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *