યુનિવર્સિટી વોટરપોલો(સ્વીમીંગ) ભાઈઓ ની ટીમ માં નારણલાલા કોલેજના પટેલ ધ્રુવ ની પસંદગી

યુનિવર્સિટી વોટરપોલો(સ્વીમીંગ) ભાઈઓ ની ટીમ માં નારણલાલા કોલેજના પટેલ ધ્રુવ ની પસંદગી

  • Sports
  • October 6, 2023
  • No Comment

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના નેજા હેઠળ નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, દ્વારા સ્વામી વિવેકાનંદ તરણકુંડ, નવસારી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ સ્વીમીંગ સ્પર્ધા અને ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટુર્નામેન્ટ માટે યુનિવર્સિટીની ટીમ પસંદગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં નારણ લાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઇડ સાયન્સીસ નવસારી ના એફ.વાય.બીસીએ માં અભ્યાસ કરતા ધ્રુવ રાજેશકુમાર પટેલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટીમમાં પસંદગી થયેલ છે.

જેઓ અગામી સમયમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી વોટરપોલો ભાઈઓની ટુર્નામેન્ટમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. ખેલાડીને તાલીમ અને યોગ્ય માર્ગદર્શન શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ એ આપેલ હતું.

​ઉપરોક્ત સિદ્ધિ બદલ કોલેજ ના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મહેશભાઈ કંસારા, ડાયરેક્ટર ડો. દિનુભાઈ નાયક, કો-ઓર્ડિનેટર શ્રીમતી ખ્યાતીબેન કંસારા, આચાર્ય ડો. સુનિલભાઈ નાયક, ડો. ચીરાંગી દેસાઈએ ધ્રુવ પટેલ અને તાલીમ આપનાર શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. મયુર પટેલ ને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *