નવસારી જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧૨૫૯૫ અબોલ પશુ- પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી 

નવસારી જિલ્લામાં છેલ્લા ૬ વર્ષમાં કુલ ૧૨૫૯૫ અબોલ પશુ- પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી 

ઘાયલ અને અબોલ જીવો માટે પણ ગુજરાત સરકારે શરૂ કરી છે એનિમલ એમ્બ્યુલન્સ સેવા ૧૯૬૨ ડાયલ કરો અને તુરંત મેળવો નિ:શુલ્ક પશુ સારવાર

રાજયની સંવેદનશીલ સરકારે અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. અબોલ પશુ-પક્ષીઓનું તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે. પશુ-પક્ષીઓ માટે આરોગ્ય સંજીવની ગણાતી સરકારશ્રીની ૧૯૬૨ પશુ હેલ્પલાઈન સેવા સતત ખડેપગે તૈનાત છે. કરુણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ નવસારી શહેરમાં કાર્યરત છે.

નવસારી જિલ્લાના બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવા નવસારી શહેરના અબોલા પશુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા છેલ્લા ૬ વર્ષમાં શ્વાન – ૭૫૨૦, ગાય -૪૧૨૮, બિલાડી – ૫૧૭, કબૂતર – ૨૫૦, વાંદરા- ૪૬, બકરી – ૧૩, પોપટ-૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૨૫૯૫ પશુ- પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કર્મચારી અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હોય છે. બિન વારસી પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા સેવાનો લાભ મેળવી શકાય છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *