પતિ-પત્ની ના ઝઘડામાં બાળકનો શું વાંક: નવસારી શહેરમાં રહેતા બાળકના કબજાને લઈ દંપતી વચ્ચે ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પતિએ બિલ્ડીંગ ઉપરથી બાળકને નીચે ફેંકી દઈ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

પતિ-પત્ની ના ઝઘડામાં બાળકનો શું વાંક: નવસારી શહેરમાં રહેતા બાળકના કબજાને લઈ દંપતી વચ્ચે ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પતિએ બિલ્ડીંગ ઉપરથી બાળકને નીચે ફેંકી દઈ હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. પતિ-પત્નીના વચ્ચે ના ઝગડામાં પિતાએ પુત્રને જુનાથાણા સ્થિત આવેલ સરકારી વસાહત બિલ્ડીંગ ના અગાસી ઉપરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પિતાએ પણ અગાસી ઉપર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે પરિવાર સહિત સંબંધીઓમાં શોકની કાલિમા છવાઈ છે.

હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહેલ હોય તે દરમિયાન સરકારી વસાહત નવરાત્રી પર્વ ઉજવણી કરાઈ રહી છે. નવસારી શહેરના જૂનાથાણા સ્થિત આવેલ સરકારી વસાહત રહેતા દંપતી એવા પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો વારો આવ્યો છે. પિતા રાકેશ ગોસ્વામીએ પોતાના બાળક દ્વિજ ગોસ્વામીને આઠમાં માળે અગાસી ઉપરથી નીચે ફેંકતા ઘટના સ્થળ ઉપર બાળકનું મોત નિપજ્યું હતું. કોઈ કારણસર અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે બાળકના કબજને લઈને ઝઘડો થતાં પતિએ બાળકને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં બાળકને લઈ જતા પતિને પત્નીએ રોકતા સરકારી વસાહતની બિલ્ડીંગ પર ચડી જઈ આવેશમાં આવેલા પતિ રાકેશ ગોસ્વામીએ પોતાના બાળકને આઠમાળે અગાસી ઉપર નીચે ફેંકી દીધા બાદ પોતે પણ અગાસી ઉપર આત્મહત્યા કરી હતી.

આ ધટના અંગે નવસારી શહેર જાણ કરાતા પોલીસ અને ફાયર જવાનોએ બિલ્ડીંગમાં ચઢી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આઠમાં માળેથી અગાસી ઉપરથી નીચે ઝંપલાવનાર યુવકનું મોત થયું હતું. બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *