નવસારી અને વલસાડ જિલ્લાના પીવાના પાણીની સમીક્ષા બેઠક મળી:જનપ્રતિનિધિઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લાવવાની ખાત્રી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

નવસારી અને વલસાડ જિલ્લાના પીવાના પાણીની સમીક્ષા બેઠક મળી:જનપ્રતિનિધિઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ લાવવાની ખાત્રી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

નવસારી અને વલસાડ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાઓ અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જનપ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મંત્રીએ જનપ્રતિનિધિઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી સંબંધિત અધિકારીઓને પ્રશ્નો સંદર્ભે ત્વરિત તપાસ કરી હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ તેમણે પીવાના પાણીના સ્થાનિક પ્રશ્નો સંદર્ભે ગામના અગ્રણીઓ-જનપ્રતિનિધિઓના અનુભવનો લાભ મેળવી અને તેમની સાથે સંકલન સાધીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે જ લાબાંગાળાની વિચારણા કરી અને પ્રાથમિકતાના ધોરણે આયોજન ઘડવા અધિકારીઓને જણાવ્યું હતું. જેથી પીવાના પાણીનો કાયમી ઉકેલ આવી શકે.

જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે તાલુકાના દરિયા કાંઠાવિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો અને જૂની ટાંકીને જગ્યાએ પાણીને સંગ્રહ કરવા માટે ફોર્સ થી પાણી પુરવઠા મોકલવાય તેવી માંગ રજૂ કરી હતી. જેનો મંત્રીએ હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ એ વાસ્મો યોજના બની ગઈ પરંતુ તેને કાર્યરત કરવામા આવી નથી તેવો પ્રશ્ન રજૂ કરતા તેના પ્રત્યુત્તરમાં મંમંત્રી સંબંધિત અધિકારીને ત્વરિત સ્થળ તપાસ કરવા સૂચના આપી હતી.

ધારાસભ્ય આર.સી.પટેલે જલાલપોર તાલુકામાં જૂથ યોજનામાં કેટલાંક ગામોને પાણી નહિં મળતા હોવાની અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના પ્રશ્ન રજૂ કરતા સંબંધિત અધિકારીઓને જાત તપાસ કરી ત્વરિત હકારાત્મક ઉકેલ લાવવા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૂચના આપી હતી.

બેઠક દરમિયાન નવસારી અને વલસાડ જિલ્લાની પીવાના પાણીની યોજના, પ્રગતિ હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના, આયોજન હેઠળની જૂથ પાણી પુરવઠા યોજના, પ્રગતિ હેઠળની યોજનાઓમાં જમીન ફાળવણીના પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં દક્ષિણ ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર તેજસ પરમાર, તેમજ વલસાડ અને નવસારી જિલ્લાના કાર્યપાલક ઇજનેર અને વાસ્મોના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *