નવસારી જિલ્લાના શૈક્ષણિક ઈતિહાસમાં ઠક્કરબાપા આશ્રમના ૫૧ વિદ્યાર્થીઓને સાયકલ તથા શૂઝ અર્પણ થયા.

નવસારી જિલ્લાના શૈક્ષણિક ઈતિહાસમાં ઠક્કરબાપા આશ્રમના ૫૧ વિદ્યાર્થીઓને સાયકલ તથા શૂઝ અર્પણ થયા.

નવસારીના છાપરા રોડ ખાતે આવેલ ઠક્કરબાપા આશ્રમ એ ચર્મોધોગ અને આદિવાસી બાળકોના છાત્રાલય માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણા અને રૂબરૂ મુલાકાત થી શરૂ થયો હતો.

ઠક્કરબાપા આશ્રમ ઉતાર – ચઢાવની પરિસ્થિતિ બાદ ત્રણ ચાર વિધાર્થીઓ રહી જતા બંધ થાય એવી દુ:ખદ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આવો ઐતિહાસિક આશ્રમ પૂર્વવત થાય તે માટે વલસાડના આગેવાન મહિલા અને તબીબ ડો. રાધિકાબેન ટિક્કુ, નવસારીના અગ્રણી કાર્યકર ગૌતમભાઈ મહેતા તથા બનાતવાલાના શિક્ષક રાજુભાઈ પરમારે ઝિંદાદિલ રસ દાખવતા હાલમાં અંદાજે ૫૦ વિદ્યાર્થીઓથી છાત્રાલય ધમધમતું થયું છે.

આ છાત્રાલયના બાળકો છાપરાથી બનાતવાલા હાઈસ્કૂલ પગપાળા આવતા જતા હતા અને અન્ય સુવિધાઓનો અભાવ હતો આથી ડો. રાધિકાબેન ટિક્કુ તથા ગૌતમ મહેતાએ ૫૧ બાળકોને પ૧ સાયકલ મળે તેવા પ્રયાસો આદરતા નવસારીના વતની એવા અમેરિકા સ્થિત એન. આર. આઈ. પરિવારોએ સાયકલ અને શૂઝ માટેનું સૌજન્ય દાખવ્યું છે.

આ સાયકલ અર્પણ વિધિ સમારોહ જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલ, ગૌતમ મહેતા તથા ડો. રાધિકાબેન ટિક્કુના અતિથિ વિશેષપદે બનાતવાલા સ્કૂલના યજમાન પદે યોજાયો હતો. વિશેષ આમંત્રિત તરીકે ન્યુ ઈન્ડિયા પરિવારના હરિશ મંગનાની, અષ્ટગામ મંડળી પ્રમુખ પિયૂષભાઈ નાગરજી પટેલ, હીરા ઉદ્યોગ આગેવાન કમલેશ માલાણી તથા જયંતિભાઈ પટેલ ગુરુકુળ મંચસ્થ હતા.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજશ્રીબેન ટંડેલ ઠક્કરબાપા આશ્રમ ચેતનવંતો થશે તેવી જ રીતે ૮૦ વર્ષથી ચાલતી બનાતવાલા હાઈસ્કૂલ ફી વિના તમામને પ્રવેશ, યુનિફોર્મ, પગરખાં આપે છે એ માટે અભિનંદન સાથે બાળકો જો સંતોષકારક પરિણામ લાવે તો ધોરણ ૧૧ તથા ધોરણ ૧૨ની ગ્રાન્ટેડ વર્ગ મંજૂર કરવાની ખાત્રી આપી હતી.

આરંભે આચાર્યશ્રી સજ્જાદએહમદ શેખ દ્વારા સ્વાગત તથા ગૌતમ મહેતા, ડો. રાધિકાબેન ટિક્કુ વિગેરેએ પ્રાસંગિક શુભકામના અને એકઝીકયુટીવ ટ્રસ્ટી વાજીદહુસેન દરગાહવાલાએ ઋણસ્વીકાર કર્યો હતાં.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *