સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને નવસારી સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સિંચાઇ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરી મંત્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

સિંચાઈ, અનાજ વિતરણ વ્યવસ્થા વિભાગના અધિકારીઓને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સિંચાઇના કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ. તેમજ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો આપવાની સાથે લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ વી.આઈ.પી. રેફરન્સનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ આપણી ફરજ છે જેથી આ બાબતે ગંભીરતા રાખવા તાકીદ કરી હતી.

આ ઉપરાંત આંગણવાડીઓમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સસ્તા અનાજની દુકાનોંથી વિતરણ થતું લાભાર્થીઓને અનાજ વગેરે જનહિત લક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વિવિધ કામોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. સિચાઇ વિભાગના કામો પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સિંચાઇ વિભાગ ના અધિકારીઓ, અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *