કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા અપીલ કરાઈ
- Local News
- October 26, 2023
- No Comment
મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નવસારીની યાદીમાં જણાવે છે કે, નવસારી વિસ્તારમાં આવેલા કારાખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાના માટે વર્ષ-૨૦૨૪ માને લાયસન્સ રીન્યુઅલ અરજી www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ (નમુના-૩) ભરી તેમજ ઓનલાઇન ભરેલ ફી ના ચલણની નકલ તથા અસલ લાયસન્સ સહિત તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી મદદનીશ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, બહુમાળી બિલ્ડીંગ, સી બ્લોક, ત્રીજો માળ, જુનાથાણા, નવસારી ખાતે મોકલી આપવાની રહેશે. લાયસન્સ રીન્યુઅલ અરજી બાબતે વિલંબ થયેથી ૨૫ ટકા વધારે ફી ભરવાની થશે.
કારખાનાધારા હેઠળની ફી ઇ-પેમેન્ટથી ધરી અને ઇ-પેમેન્ટ રીસીપ્ટ રજૂ કરવા ખાસ નોંધ લેવા જણાવ્યું છે. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ રાખવું એ કારખાનાધારા-૧૯૪૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર છે.આગામી તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ રોજ જાહેર રજા ના દિવસે પણ કચેરી સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રાખવામાં આવશે.