કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા અપીલ કરાઈ

કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા અપીલ કરાઈ

મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નવસારીની યાદીમાં જણાવે છે કે, નવસારી વિસ્તારમાં આવેલા કારાખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાના માટે વર્ષ-૨૦૨૪ માને લાયસન્સ રીન્યુઅલ અરજી www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ (નમુના-૩) ભરી તેમજ ઓનલાઇન ભરેલ ફી ના ચલણની નકલ તથા અસલ લાયસન્સ સહિત તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી મદદનીશ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, બહુમાળી બિલ્ડીંગ, સી બ્લોક, ત્રીજો માળ, જુનાથાણા, નવસારી ખાતે મોકલી આપવાની રહેશે. લાયસન્સ રીન્યુઅલ અરજી બાબતે વિલંબ થયેથી ૨૫ ટકા વધારે ફી ભરવાની થશે.

કારખાનાધારા હેઠળની ફી ઇ-પેમેન્ટથી ધરી અને ઇ-પેમેન્ટ રીસીપ્ટ રજૂ કરવા ખાસ નોંધ લેવા જણાવ્યું છે. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ રાખવું એ કારખાનાધારા-૧૯૪૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર છે.આગામી તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ રોજ જાહેર રજા ના દિવસે પણ કચેરી સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રાખવામાં આવશે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *