હવે પાસપોર્ટ વેરિફિકેશનને લઈ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે: પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર કરાયો

હવે પાસપોર્ટ વેરિફિકેશનને લઈ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે: પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર કરાયો

  • Travel
  • November 22, 2023
  • No Comment

પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરાયો. કાયદો અને વ્યવસ્થા ભાગ રૂપે પોલીસ મહાનિર્દેશકનો પરીપત્ર બહાર પાડયો.પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય

હવે પાસપોર્ટ અરજદારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.

કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન હવે નહી બોલાવાય.નવો પાસપોર્ટ કઢાવવા તેમજ જૂનો પાસપોર્ટ રીન્યુ કરવા દરમિયાન પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સહેલી બનાવાઈ છે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવશે.

જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી.આ ઉપરાંત પોલીસે પાસપોર્ટ અરજદારોની નાગરિક્તા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે. પોલીસ જરૂર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેશે.અને  પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.તેમજ આ નિર્ણય પગલે પાસપોર્ટ અરજદારો તેમજ પોલીસ સમયની બચત સાથે ઝડપી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *