હવે પાસપોર્ટ વેરિફિકેશનને લઈ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે: પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર કરાયો

હવે પાસપોર્ટ વેરિફિકેશનને લઈ અરજદારોએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે: પોલીસ મહાનિર્દેશકે પરિપત્ર કરાયો

  • Travel
  • November 22, 2023
  • No Comment

પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં સુધારો કરાયો. કાયદો અને વ્યવસ્થા ભાગ રૂપે પોલીસ મહાનિર્દેશકનો પરીપત્ર બહાર પાડયો.પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય

હવે પાસપોર્ટ અરજદારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન નહી બોલાવાય. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના ઘરે પણ જતી હતી.

કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશકે જાહેર કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન હવે નહી બોલાવાય.નવો પાસપોર્ટ કઢાવવા તેમજ જૂનો પાસપોર્ટ રીન્યુ કરવા દરમિયાન પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને સહેલી બનાવાઈ છે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે નહી આવશે.

જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા નથી.આ ઉપરાંત પોલીસે પાસપોર્ટ અરજદારોની નાગરિક્તા અને ગુનાહિત ઈતિહાસની જ ખરાઈ કરવાની રહેશે. પોલીસ જરૂર પડશે તેવા કિસ્સામાં જ અરજદારના રહેણાંક સ્થળની મુલાકાત લેશે.અને  પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળશે.તેમજ આ નિર્ણય પગલે પાસપોર્ટ અરજદારો તેમજ પોલીસ સમયની બચત સાથે ઝડપી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે.

Related post

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં મોબાઇલ ચોરી કરી વેચાણ કરનાર આરોપીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી ટીમ

આંતરરાજ્ય મોબાઇલ ચોર: નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત…

નવસારી જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે નાગરિકોના મોબાઈલ ચોરીની ફરિયાદો વ્યાપક પણે થઈ હતી આ ગુના ઉકેલ માટે જિલ્લા પોલીસ…
નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે…

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા…
રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ…

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *