“કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં સાહસિકતાની તકો”વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાનો તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે

“કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં સાહસિકતાની તકો”વિષય ઉપર રાષ્ટ્રીય કક્ષાનો તાલીમ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે

તા.૧૮ ડિસેમ્બરથી તા.૨૦ ડિસેમ્બર સુધી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના નેતૃત્વ હેઠળ “કૃષિ પેદાશોની નિકાસ અને આયાતમાં ઉદ્યોગ સાહસિકતાની તકો” વિષય પર રાષ્ટ્રીય કક્ષાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે.

આ કાર્યક્રમમાં કૃષિ નિકાસ અને આયાત ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરતી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હીના નેજા હેઠળ, વિશ્વ બેન્ક દ્વારા અનુદાનિત રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પરિયોજના (NAHEP) ના સેન્ટર ફોર એડવાન્સડ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CAAST) ના પેટા-પ્રોજેક્ટ હેઠળ આયોજિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે દમણના વામા સ્કાયલાઈટ એલ.એલ.પી સી.ઈ.ઓ. શ્રી અભિષેક નાથાણી, અમદાવાદના ઈન્ટરનેશનલ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ટ્રેનર; નિકાસકાર અને નિયામક, ઑ.ઇ. એસ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ગ્લોબલ બિઝનેસ કન્સલ્ટિંગ, શ્રી પરેશ સોલંકી વિશેષ અતિથિ તરીકે આ રાષ્ટ્રીય તાલીમમાં ઉપસ્થિત રેહશે.

જયારે સંશોધન નિયામક એન.એ.એચ.ઈ.પી. (NAHEP) – કાસ્ટ (CAAST) પ્રોજેક્ટના વડા ડૉ. ટી. આર. અહલાવત, છ નિષ્ણાતો તાલીમમાં બાર વિશેષ વ્યાખ્યાનો આપશે. જેમાં ૩૦૦ થી વધુ સહભાગીઓને કૃષિ નિકાસમાં ઉદ્યોગસાહસિકતા અને રાષ્ટ્રીય સંપત્તિ નિર્માણ તેમજ ખેડૂતોના કલ્યાણમાં તેના યોગદાન પર ભાર મૂકશે.

તેઓ આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય તાલીમ દરમિયાન, કેવી રીતે ખેત પેદાશોની નિકાસ નવી નોકરીઓ, આવકની તકો અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું સર્જન કરશે તેમજ ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોને લાભકારી નીવડશે તે વિશે માર્ગદર્શન આપશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *