દીકરાની હેરાનગતિથી કંટાળીને મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન નવસારી ટીમની મદદ લીધી

દીકરાની હેરાનગતિથી કંટાળીને મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન નવસારી ટીમની મદદ લીધી

નવસારી જિલ્લામાથી એક મહિલાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમને કોલ કરીને જણાવ્યું હતું કે, તેમનો દીકરો હેરાન કરે છે અને ઘર ની બહાર કાઢી મુકી છે ઘરમા જવા દેતા નથી અભાયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યોગ્ય કાઉન્સિલિંગ કરી સમાધાન કરાવ્યું હતું.

૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ મહિલા મજૂરી કરી ઘર ચલાવે છે અને તેમનો દીકરો કંઇપણ કામ ધંધો કરતો નથી અને નશાની હાલતમાં રહે છે તેમના દીકરાની એક દીકરી પણ છે તેમનું પણ ધ્યાન રાખતાં નથી અને ઘરમા આવીને મારઝૂડ કરે છે તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે છતાં પણ ત્યાં રહેવા જાય છે અને દીકરીની માંગ કરે છે. અભયમ ટીમે દીકરાને પૂછતા જણાવેલ કે મારી દીકરી આપતી નથી એની પાસે રાખે છે મને મારી દીકરી સાથે જોઇએ તેમ જણાવ્યું હતું.

જેથી તેમને સમજાવ્યું કે તમે નશામાં રહો છો તો છોકરી નું ધ્યાન કોણ રાખશે તમારી દીકરી ને પૂછો જો તમારી સાથે રહેવા માંગતી હોય તો રાખી શકો છો જેથી દીકરીને પૂછતા તેમને જણાવેલ કે માટે ભણવું છે અને મારા પિતા મને ભણવા દેતા નથી મજૂરી મોકલે છે જેથી હું મારી નાની સાથે રહેવા માંગુ છું જેથી તેમના પિતાને સમજાવેલ કે તમે સાથે રહો પરંતુ તમારી દીકરી નું ભવિષ્ય બને છે તો શા માટે બગાડો છો હવે પછી તમારી મા ઉપર હાથ ઉપાડવો નહિ અને નશો કરી ઘરમા ઝઘડા કરવા નહિ તેમ સમજાવતા સમજી ગયો હતો અને સ્થળ પર સલાહ અને માર્ગદર્શન આપી સુખદ સમાધાન કરાવ્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *