નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ યોજાઇ

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ યોજાઇ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ માટેની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડો. કિંજલ શાહે કચરામાંથી કંચન જેવું નાડેપ ખાતર બનાવવા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. ખેડૂતો ઘર આંગણે ઓછા સમયમાં નિદામણ અને વનસ્પતિ જન્ય કચરામાંથી સારું ખાતર બનાવી કૃષિ પેદાશ માટે ઉપયોગ કરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય. કેવિકે નવસારીના બાગાયત વૈજ્ઞાનિક ડો. રશ્મિકાન્ત ગુર્જરે આંબાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તથા હાલના વાદળછાયા અને બદલાતા જતા વાતાવરણમાં આંબામાં લેવી પડતી કાળજી તથા તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની જાણકારી આપી હતી. કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો.પ્રભુ નાયકા દ્વારા આંબાના રોગ જીવાત નિયંત્રણ તથા વેલાવાળા શાકભાજીમાં ફળમાખીના નિયંત્રણ માટેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આંબામા ફૂલ અને ફળનું ખરણ ઓછું થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની દ્વારા વિકસાવેલ નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીયંટ નામની નવીનતમ ટેકનોલોજીના નિદર્શન ખેડૂતોને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીખલી, વાંસદા તાલુકાના રાનવેરીખુર્દ અને કાંગવાઈના કુલ ૬૦ થી વધુ ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *