નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ યોજાઇ

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની તાલીમ યોજાઇ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે આંબાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ માટેની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક વડા ડો. કિંજલ શાહે કચરામાંથી કંચન જેવું નાડેપ ખાતર બનાવવા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. ખેડૂતો ઘર આંગણે ઓછા સમયમાં નિદામણ અને વનસ્પતિ જન્ય કચરામાંથી સારું ખાતર બનાવી કૃષિ પેદાશ માટે ઉપયોગ કરી ખાતરનો ખર્ચ ઘટાડી શકાય. કેવિકે નવસારીના બાગાયત વૈજ્ઞાનિક ડો. રશ્મિકાન્ત ગુર્જરે આંબાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા માટે તથા હાલના વાદળછાયા અને બદલાતા જતા વાતાવરણમાં આંબામાં લેવી પડતી કાળજી તથા તેની વૈજ્ઞાનિક ઢબે ખેતી અંગેની જાણકારી આપી હતી. કેન્દ્રના પાક સંરક્ષણના વૈજ્ઞાનિક ડો.પ્રભુ નાયકા દ્વારા આંબાના રોગ જીવાત નિયંત્રણ તથા વેલાવાળા શાકભાજીમાં ફળમાખીના નિયંત્રણ માટેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે આંબામા ફૂલ અને ફળનું ખરણ ઓછું થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની દ્વારા વિકસાવેલ નોવેલ ઓર્ગેનિક લિક્વિડ ન્યુટ્રીયંટ નામની નવીનતમ ટેકનોલોજીના નિદર્શન ખેડૂતોને આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચીખલી, વાંસદા તાલુકાના રાનવેરીખુર્દ અને કાંગવાઈના કુલ ૬૦ થી વધુ ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *