NAHEP CAAST પ્રોજેકટ અને કેવિકે, નવસારી દ્વારા પ્રેરણા પ્રવાસ યોજાયો

NAHEP CAAST પ્રોજેકટ અને કેવિકે, નવસારી દ્વારા પ્રેરણા પ્રવાસ યોજાયો

સરકાર દ્વારા પૂરા ભારતભરમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો અને આમ જનતાને જાગૃત કરવા “સારું વાવવું અને સારું ખાવું” એવી ભાવના લોકોમાં જગાડવા “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” થકી જમીનની ફળદ્રુપતા અને પ્રાકૃતિક ખેતી પર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખી નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકની કચેરી હેઠળ ચાલતા NAHEP CAAST પ્રોજેકટ પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા પ્રથમ દિવસે ૩૦ મહિલા ખેડૂતો અને બીજા દિવસે ૩૦ ખેડૂત ભાઈઓને વલસાડ જીિલ્લાનાં નાની તંબાડી ગામે આવેલ દામોદર ગૌશાળાની મુલાકાત કરાવાઈ હતી. ગૌશાળા ખાતે ગીર ગાય આધારીત ખેતી તેમજ દેશી ગાયનાં મળમૂત્ર આધારીત વિવિધ બનાવટો, સાબુ,કોસ્મેટીક પ્રોડકટ, ધૂપ સ્ટીક, ગો અર્ક અને જુદી જુદી વાસ્તુશાસ્ત્ર આધારીત આર્ટીકલ બનાવટોનાં યુનિટની મુલાકાત દામોદર ગૌશાળાના મંત્રી ધર્મેશભાઈ દ્વારા કરાવાઈ તેમજ તે અંગે તેમણે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી

ખેડૂતોને પારંપરિક ખેતી અંગે જાગૃત અને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સાથે કૃષિ યુનિવર્સિટીના પરીયા સંશોધન કેન્દ્રની પણ ખેડૂતોને મુલાકાત કરાવી હતી જયાં ખેડૂતોએ આંબાની દેશી-વિદેશી અને કાજુની જુદી જુદી જાતો અને તેની ખેતી પધ્ધતિ અંગે માર્ગદર્શન સંશોધન કેન્દ્રનાં વડા ડૉ.શર્મા અને તેમની ટીમે માહિતી આપી હતી. આ પ્રેરણા પ્રવાસનાં આયોજન માટે કેવિકે, નવસારીના વડા ડૉ.કિંજલ શાહ તેમજ NAHEP CAAST પ્રોજેકટનાં ડૉ.એમ.એસ.શંકનુ અને તેમની ટીમે ખૂબ મહેનત કરી હતી.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *