નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૧૯મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે ૧૯મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

દક્ષિણ ગુજરાતની સંસ્કારી અને શિક્ષિત નગરી નવસારીમાં કાર્યરત નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ, બાગાયત, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી, કૃષિ ઈજનેરી તેમજ એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ વિષયક કુલ ૬ વિધા શાખામાં શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે, ઉપરાંત આ વિધાશાખાઓમાં સંશોધન તથા વિસ્તરણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે.

આગામી તારીખ ૦૩/૦૧/૨૦૨૪ને બુધવાર ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો વાર્ષિક પદવીદાન સમારંભ આચાર્ય દેવવ્રતજી, માનનીય રાજયપાલ ગુજરાત રાજય અને વિશ્વવિદ્યાલયના માન. કુલાધિપતિ ની અધ્યક્ષતા હેઠળ દિક્ષાન્ત મંડપ, યુનિવર્સિટી ભવનની બાજૂમાં, નવસારી ખાતે યોજાનાર છે. જેમાં સમારંભના અતિથિ વિશેષ તરીકે રાઘવજી પટેલ રાજયના માનનીય મંત્રી, કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત સરકાર ઉપસ્થિત રહેનાર છે, જયારે ડો. શરદ આર. ગડખ, કુલપતિ, ડૉ. પી.ડી.કે.વી., અકોલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપવામાં આવશે.

આ પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના ૪૬૧, અનુસ્નાતક કક્ષાના ૧૫૦ અને પીએચ.ડી. કક્ષાના ૫૬ નવસારી કૃષિ યુનિવર્સિટીના અને ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ૦૨ મળીને કુલ ૬૬૯ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને પદવી એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારંભ દરમ્યાન યુનિવર્સિટી દ્વારા “બેસ્ટ ટીચર એવોર્ડ”, “બેસ્ટ રિસર્ચર એવોર્ડ” ઉપરાંત આ વર્ષથી “બેસ્ટ એક્ષટેન્શન સાયન્ટીસ્ટ એવોર્ડ” શ્રેષ્ઠ ખેડૂત (પૂરૂષ) એવોર્ડ અને શ્રેષ્ઠ ખેડૂત (મહિલા) એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે.

પદવીદાન સમારંભ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર સ્નાતક કક્ષાના ૨૧ અને અનુસ્નાતક કક્ષાના ૩૧ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને કુલ પર મેડલ એનાયત કરવામાં આવશે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *