કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવતાં: વન પર્યવારણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવતાં: વન પર્યવારણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

નવસારી જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ, પશુપાલન વિભાગ, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ, કંટ્રોલરૂમ, ઓનલાઈન લિંક લોકેશન સહિતની વિગતના હેલ્પલાઈન સેન્ટર, રેશ્ક્યુ ટીમ, પશુ દવાખાનાની વિગતો સહિત આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે ગુજરાત રાજયના વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલે વેટરનરી કિલનીકલ કોમ્પલેક્ષ, એરૂ રોડ, નવસારી ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવ્યો હતો.


આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પક્ષી જીવ ન ગુમાવે તે માટે રાજય સરકાર દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ૮ જેટલી એનજીઓ કાર્યરત છે. જયાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.ઉત્તરાયણ પર્વ દરમિયાન મુંગા પક્ષીઓને નુકશાન ન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.

આ અવસરે મંત્રીના હસ્તે ૮ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરનાર એનજીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સુરતના મુખ્ય વન સરંક્ષક ડો.કે.શશિકુમાર, નવસારી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નાયબ મુખ્ય વન સરંક્ષક ભાવના દેસાઇ, રેંજ ફોરેસ્ટ ઓફિસર હિનાબેન પટેલ, વેટરનરી કોલેજના ડીન અને સ્ટાફગણ, જીવદયા સંસ્થાઓના કર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *