કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવતાં: વન પર્યવારણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

કરૂણા અભિયાન-૨૦૨૪ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવતાં: વન પર્યવારણ રાજય મંત્રી મુકેશભાઇ પટેલ

નવસારી જિલ્લામાં સામાજિક વનિકરણ વિભાગ, પશુપાલન વિભાગ, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવ અટકે તેમજ ઘાયલ પક્ષીઓની ત્વરીત સારવાર અર્થે જિલ્લા તથા તમામ તાલુકા કક્ષાએ, કંટ્રોલરૂમ, ઓનલાઈન લિંક લોકેશન સહિતની વિગતના હેલ્પલાઈન સેન્ટર, રેશ્ક્યુ ટીમ, પશુ દવાખાનાની વિગતો સહિત આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે ગુજરાત રાજયના વન પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલે વેટરનરી કિલનીકલ કોમ્પલેક્ષ, એરૂ રોડ, નવસારી ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરાવ્યો હતો.


આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પક્ષી જીવ ન ગુમાવે તે માટે રાજય સરકાર દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૪ નો શુભારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ૮ જેટલી એનજીઓ કાર્યરત છે. જયાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. નિર્દોષ, અબોલ પક્ષીઓનું રક્ષણ કરવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.ઉત્તરાયણ પર્વ દરમિયાન મુંગા પક્ષીઓને નુકશાન ન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.

આ અવસરે મંત્રીના હસ્તે ૮ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરનાર એનજીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે સુરતના મુખ્ય વન સરંક્ષક ડો.કે.શશિકુમાર, નવસારી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોર, નાયબ મુખ્ય વન સરંક્ષક ભાવના દેસાઇ, રેંજ ફોરેસ્ટ ઓફિસર હિનાબેન પટેલ, વેટરનરી કોલેજના ડીન અને સ્ટાફગણ, જીવદયા સંસ્થાઓના કર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *