તા.૧૦મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

તા.૧૦મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને ઈ-લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ:જિલ્લામાં ૨૩૬ ગામના ૩૦૫૫ પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ થશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તથા માન.મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં ઈ-લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાનાર છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લાની તમામ ચાર વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરે દરેક વિધાનસભા વિસ્તારમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે પરસ્પર સંકલન કરીને કામગીરી કરવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે લાભાર્થીઓને લાવવાની વ્યવસ્થા સહિત અન્ય આનુંષાગિક વ્યવસ્થા અંગે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજનાર ઈ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર વિધાનસભા વિસ્તારમાં એરુ ચાર રસ્તા નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે ૬૮ ગામના ૩૫૦ આવાસો , ગણદેવી વિધાનસભા વિસ્તારમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી ખાતે ૫૫ ગામના ૬૦૩ આવાસો, વાંસદા વિધાનસભા વિસ્તારમાં પી.એચ.સી ગ્રાઉન્ડ ઘોડમાળ ખાતે ૧૧૬ ગામના ૧૮૫૬ આવાસો અને નવસારી વિધાનસભા વિસ્તારમાં ઓમ પાર્ટી પ્લોટ – મીરા નગર જમાલપોર ખાતે ૨૬ ગામના ૨૪૬ આવાસો મળી કુલ ૩૦૫૫ પ્રધાનમંત્રી આવાસોનું ઈ-લોકાર્પણ ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ , નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ ,અધિક નિવાસી કલેકટર કેતન જોષી , ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગરાજસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *