નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ

નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ લઈ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર ના રોજ ચૂંટણી યોજાનાર છે.

જેના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી બહાર પાડેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની  તા.૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૯/૦૪/૨૦૨૪ શુક્રવાર, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ ૨૦/૦૪/૨૦૨૪ શનિવાર, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર, મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪, મંગળવાર, મતગણતરીની તારીખ ૦૪/૦૬/૨૦૨૪, મંગળવાર, અને ચૂંટણી પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ ૦૬/૦૬/૨૦૨૪, ગુરૂવાર છે.

નવસારી જિલ્લા અંગે વિગતવાર જોઇએ તો આ પ્રમાણે છે

નવસારી જિલ્લામાં ૪ (ચાર) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી, ૧૭૬-ગણદેવી (અ.જ.જા), અને ૧૭૭-વાંસદા(અ.જ.જા)નો સમાવેશ થાય છે. જયારે ૨૫-નવસારી સંસદીય મતવિભાગમાં ૭ (સાત ) વિધાનસભા મતવિભાગ આવેલા છે. જેમાં ૧૬૩- લીંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૭૪-જલાલપોર, ૧૭૫-નવસારી, અને ૧૭૬-ગણદેવી (અ.જ.જા) નો સામાવેશ થાય છે.

ફાઈલ ફોટોગ્રાફ

મતદારોની વિગત જોઇએ તો આ પ્રમાણે, નવસારી જીલ્લામાં પુરુષ મતદારો ૫,૩૮,૬૮૬ અને સ્ત્રી:- ૫,૪૪,૧૪૫ તેમજ અન્ય :- ૩૪ મળી કુલ :- ૧૦,૮૨,૮૬૫ મતદારો નોંધાયેલા છે. જ્યારે ૨૫ નવસારી સંસદીય મતક્ષેત્રમાં પુરુષ મતદારો ૧૧,૮૩,૮૦૮ અને સ્ત્રી:- ૧૦,૧૪,૧૦૮ તેમજ અન્ય :- ૧૧૭ મળી કુલ :-૨૧,૯૮,૦૧૯ મતદારો છે. તા.૨૭/૧૦/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૪ દરમિયાન ૧૮-૧૯ વય જુથના કુલ- ૯૭૮૪ તેમજ ૨૦-૨૯ વય જુથના કુલ ૫૧૮૧ એમ તમામ વયજૂથના કુલ-૧૯,૮૯૭ મતદારો નવસારી જીલ્લામાં નવા નોંધાયેલ છે.

નવસારી જીલ્લામાં શહેરી વિસ્તાર-૨૧૨, ગ્રામ્ય વિસ્તાર- ૯૦૪ મળી કુલ -૧૧૧૬ મતદાન મથકો છે જ્યારે ૨૫ નવસારી સંસદીય મતવિભાગમાં શહેરી વિસ્તાર ૧૪૨૮, ગ્રામ્ય વિસ્તાર ૬૪૬ મળી કુલ ૨૦૭૪ મતદાન મથકો છે. આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિભાગમાં ૭ સખી, ૧ યુવા સંચાલિત, ૧ પીડબલ્યુડી અને ૧ મોડલ મતદાન બનાવવામાં આવશે. જેમાં નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે, તેમજ ૫૮ માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે.

આ સાથે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના ભાગ રૂપે જિલ્લા તંત્ર દ્વારા બેનર, હોડીંગ્સ, ઝંડી, પોસ્ટર ભીંત લખાણો, કટઆઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ માટે જિલ્લામાં આદર્શ આચાર સંહિતા (MCC), ફલાઇંગ સ્કવોર્ડ સહિત વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

C-Vigil પર મળતી ફરીયાદોને ૧૦૦ મિનિટમા નિકાલ કરવામાં આવશે. જીલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે. જેનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૬૨૭ છે. અને હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ છે જે તા.૧૬/૦૩/૨૦૨૪ થી ૨૪×૭ ધોરણે કાર્યરત કરવામાં આવેલ છે એમ વધુમાં ઉમેર્યું હતું.

અંતે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારયાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ-6 તા.૦૯/૦૪/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે એમ જણાવી મતદારોને મતદાન માટે જાગૃત કરવા મીડિયાને સક્રિય ભાગીદારી દાખવવા સાથે આગામી તા.૦૭/૦૫/૨૦૨૪, મંગળવારના રોજ મતદાન કરી દેશના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ કરી હતી.

પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ,નાયબ કલેકટર ઓમકાર શીંદે,નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે:મતદારોને મતદાન માટે જાગૃત કરવા મીડિયાને સક્રિય ભાગીદારી નોધવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *