નવસારીમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

નવસારીમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં સુકન્યા સમૃદ્ધિ લાભાર્થી અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

સાંસદ સીઆર પાટીલજીના પ્રયત્નોથી લોકસભા વિસ્તારમાં 44000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી પ્રથમ હપ્તો ભરવામાં આવ્યો

સતત ચોથીવાર લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ સૌ પ્રથમવાર નવસારી ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ નવસારી ખાતે આવ્યા હતા. સી આર પાટીલ તેમના પ્રયત્નો થકી નવસારી લોકસભા વિસ્તારમાં 44,000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. લુન્સીકુઈ મેદાન ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેરના જાણીતા વકીલો ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ બિલ્ડરો સામાજિક સંસ્થાના ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ સૌને આવકારી આગામી લોકસભામાં સીઆર પાટીલજીને દેશમાં સૌથી વધુ મતોથી જીતાડવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સી આર પાટીલજી સમગ્ર રાજ્યમાં પ્રચાર માટે પ્રવાસ કરવાના હોવાથી નવસારીનો એક એક કાર્યકર્તા સી આર પાટીલ બની આ ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી પાટીલ સાહેબને જીતડશે.

સી આર પાટીલ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નવસારીને મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા હશે જ્યારે સુરતમાં દસ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તેમ છતાં સુરત શહેરને પૂર્વ થી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી સુરતમાં 29 માળનું 5,000 ગાડીઓના પાર્કિંગ વાળુ વહીવટી બિલ્ડીંગ બની રહ્યું છે જે સમગ્ર દેશ માટે એક વિકાસનું મોડેલ બનીને આગળ આવશે. પોતાના વક્તવ્યમાં રાજ્યના કેન્દ્ર સરકારે કરેલા મહત્વના પ્રોજેક્ટની પ્રવૃત્તિ નાગરિકો સમક્ષ યોજનાઓની છણાવટ કરી હતી પોતાને સૌથી વધુ મતોથી જીતાડવા બદલ શહેરીજનોનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને નવસારીના પ્રભારી જનકભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, લોકસભાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ ,લોકસભાના સંયોજક અશોકભાઈ ધોરાજીયા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સાંસદ સીઆર પાટીલજીના પ્રયત્નોથી લોકસભા વિસ્તારમાં 44000 જેટલી કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી પ્રથમ હપ્તો ભરવામાં આવ્યો

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *