કેન્દ્રીય ગૃહ મંત્રી વાંસદા આવશે : વલસાડ લોકસભા 26 બેઠકનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 તારીખના રોજ વાંસદા તાલુકામાં સભા ગજાવશે 

કેન્દ્રીય ગૃહ મંત્રી વાંસદા આવશે : વલસાડ લોકસભા 26 બેઠકનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 તારીખના રોજ વાંસદા તાલુકામાં સભા ગજાવશે 

લોકસભા ચૂંટણીમાં આગામી ગુજરાત રાજ્યમાં મતદાન 7 મે રોજ થનાર છે. ત્યારે ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો પાસે વધુમાં વધુ પહોંચવા સાથે પ્રચાર કરી રહ્યા છે. રાજ્યની કેટલીક બેઠક ઉપર વીવીઆઈપી મંત્રી,  દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 26 વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની વાંસદા વિધાનસભા મતક્ષેત્ર વિસ્તાર વલસાડ લોકસભા આવતો હોવાથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ નો પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 મે શનિવારના રોજ નવસારી જિલ્લાના પ્રવાસે આવશે.

ગૃહ મંત્રી અમિત શાહના આગમન પહેલા નવસારી જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાસંદા વિધાનસભા  કોંગ્રેસનો ગઢ રહેવા પામી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી છે ત્યારે કોંગ્રેસને તેના જ ગઢમા મ્હાત આપવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે.4  તારીખે શનિવાર બપોરે 1:00 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે અમિત શાહ સભા કરશે. ચાર દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે મેદાનને ઉતર્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાશે

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *