કેન્દ્રીય ગૃહ મંત્રી વાંસદા આવશે : વલસાડ લોકસભા 26 બેઠકનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 તારીખના રોજ વાંસદા તાલુકામાં સભા ગજાવશે 

કેન્દ્રીય ગૃહ મંત્રી વાંસદા આવશે : વલસાડ લોકસભા 26 બેઠકનો પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 તારીખના રોજ વાંસદા તાલુકામાં સભા ગજાવશે 

લોકસભા ચૂંટણીમાં આગામી ગુજરાત રાજ્યમાં મતદાન 7 મે રોજ થનાર છે. ત્યારે ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો મતદારો પાસે વધુમાં વધુ પહોંચવા સાથે પ્રચાર કરી રહ્યા છે. રાજ્યની કેટલીક બેઠક ઉપર વીવીઆઈપી મંત્રી,  દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 26 વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની વાંસદા વિધાનસભા મતક્ષેત્ર વિસ્તાર વલસાડ લોકસભા આવતો હોવાથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ નો પ્રચાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી 4 મે શનિવારના રોજ નવસારી જિલ્લાના પ્રવાસે આવશે.

ગૃહ મંત્રી અમિત શાહના આગમન પહેલા નવસારી જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાસંદા વિધાનસભા  કોંગ્રેસનો ગઢ રહેવા પામી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી છે ત્યારે કોંગ્રેસને તેના જ ગઢમા મ્હાત આપવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે.4  તારીખે શનિવાર બપોરે 1:00 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે અમિત શાહ સભા કરશે. ચાર દિવસ અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે મેદાનને ઉતર્યા હતા ત્યારે ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાશે

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *