લોકશાહીનાં મહાપર્વ સમાન ચૂંટણીના અવસરમાં મતદાન આપી ભાગીદાર બનવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે

લોકશાહીનાં મહાપર્વ સમાન ચૂંટણીના અવસરમાં મતદાન આપી ભાગીદાર બનવા અપીલ કરતા જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે

ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારનાં રોજ યોજાનાર છે. મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જાહેર જનતાને મતદાન માટે અપીલ કરાઇ હતી.

કલેક્ટરે અપીલ કરતા જણાવ્યું હતું કે,આગામી ૦૭મી મેના રોજ મતદાનના દિવસે આપ સૌ સંબંધિત મતદાન મથકે પધારી લોકશાહીનાં મહાપર્વ સમાન આ અવસરમાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવો. સવિશેષ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેએ નવસારીની તમામ મહિલા મતદારો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાનો અમુલ્ય મત આપે તે માટે આહવાન કર્યું હતું.

તમામ મતદારોને જાગૃત કરતા ઉમેર્યું હતું કે, મતદાન કરવા માટે મતદાર કાર્ડ સિવાય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ અન્ય ઓળખ પુરાવા લઈ જઈને પણ આપ મતદાન કરી શકો છો. વિશેષમાં એક બાબતનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, કોઇપણ મતદાર મતદાન મથકની અંદર પોતાનો મોબાઈલ ન લઇ જાય એ માટે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.પ્રથમ વાર હોય કે ૧૦૦ વર્ષથી ઉપરના હોય તમામ મતદારો લોકશાહીના મહોત્સવમાં મત આપી અને “૧૦ મિનીટ દેશ માટે” ફાળવી મતદાન કરવા જાહેર અપીલ કરી હતી.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *