નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા અંગે ઉપરોક્ત આઘાતજનક બનાવની વિગત એમ છે કે ખારા અબ્રામા ના વતની અને હાલ દુધિયા તળાવ ખાતે લેઈક વ્યૂ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા આગેવાન શેખર પરીખ ના એકમાત્ર પુત્ર ડોક્ટર ધરવ શેખર પરીખ પોંડીચેરી ખાતે એમએસ ઓર્થોપેડિક થઈ કોચી ખાતે વ્યવસાય અને વધુ શિક્ષણ લેતો હતો ડોક્ટર ધરવ ના લગ્ન જમ્મુ કાશ્મીરના બ્રાહ્મણ પરિવાર ની દીકરી અને વ્યવસાય તબીબ એવી ડોક્ટર મોનિકા જોડે છ માસ પહેલા જ થયા હતા. જાન લઈને પરિવાર અને સ્વજનો જમ્મુ કાશ્મીર જઈને રંગે ચંગે લગ્ન કર્યા હતા ત્યારબાદ નવસારીમાં શેખર પરીખ પરિવાર દ્વારા રિસેપ્શન પણ યોજાયું હતું

ડો.ધરવ શેખર પરીખ

ગત સોમ અથવા મંગળવારના રોજ સાંજે કહે છે કે હું આત્મહત્યા કરું છું એવું લખાણ લખી દક્ષિણ ભારતના કોચી શહેરની નદી જે સાગરને મળે છે ત્યાંના પુલ પરથી ડોક્ટર ધરવ પરીખે નદીમાં ઝંપલાવી દીધું હતું કોચી ખાતેથી આવા આઘાતજનક એકમાત્ર પુત્રના સમાચાર મળતા જ માતા પિતા અને સ્વજનો કોચી ખાતે ઘસી ગયા છે પ્રાપ્ત સમાચાર મુજબ હાલ પણ લાપતા ડોક્ટર ધરવ પરીખ ના કોઈ સગડ મળ્યા નથી

લાપતા એવા ડોક્ટર ધરવ શેખર પરીખ ની શોધ ભારતીય નૌકાદળ અને કોચી પોલીસ સતત શોધ ખોળ છતા કોઈ સગડ મળ્યા નથી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *