નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના કુલીન પરિવારના તેજસ્વી યુવાન તબીબ ધરવ શેખર પરીખે દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા

નવસારીના તેજસ્વી યુવાન ડોક્ટર ધરવ શેખર પરીખ ધ્વારા દક્ષિણ ભારતના કોચી ખાતે પુલ પરથી નદીમાં ઝંપલાવી દેતા ત્રણ દિવસથી લાપતા થયા અંગે ઉપરોક્ત આઘાતજનક બનાવની વિગત એમ છે કે ખારા અબ્રામા ના વતની અને હાલ દુધિયા તળાવ ખાતે લેઈક વ્યૂ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા જાણીતા આગેવાન શેખર પરીખ ના એકમાત્ર પુત્ર ડોક્ટર ધરવ શેખર પરીખ પોંડીચેરી ખાતે એમએસ ઓર્થોપેડિક થઈ કોચી ખાતે વ્યવસાય અને વધુ શિક્ષણ લેતો હતો ડોક્ટર ધરવ ના લગ્ન જમ્મુ કાશ્મીરના બ્રાહ્મણ પરિવાર ની દીકરી અને વ્યવસાય તબીબ એવી ડોક્ટર મોનિકા જોડે છ માસ પહેલા જ થયા હતા. જાન લઈને પરિવાર અને સ્વજનો જમ્મુ કાશ્મીર જઈને રંગે ચંગે લગ્ન કર્યા હતા ત્યારબાદ નવસારીમાં શેખર પરીખ પરિવાર દ્વારા રિસેપ્શન પણ યોજાયું હતું

ડો.ધરવ શેખર પરીખ

ગત સોમ અથવા મંગળવારના રોજ સાંજે કહે છે કે હું આત્મહત્યા કરું છું એવું લખાણ લખી દક્ષિણ ભારતના કોચી શહેરની નદી જે સાગરને મળે છે ત્યાંના પુલ પરથી ડોક્ટર ધરવ પરીખે નદીમાં ઝંપલાવી દીધું હતું કોચી ખાતેથી આવા આઘાતજનક એકમાત્ર પુત્રના સમાચાર મળતા જ માતા પિતા અને સ્વજનો કોચી ખાતે ઘસી ગયા છે પ્રાપ્ત સમાચાર મુજબ હાલ પણ લાપતા ડોક્ટર ધરવ પરીખ ના કોઈ સગડ મળ્યા નથી

લાપતા એવા ડોક્ટર ધરવ શેખર પરીખ ની શોધ ભારતીય નૌકાદળ અને કોચી પોલીસ સતત શોધ ખોળ છતા કોઈ સગડ મળ્યા નથી

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *