રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

રેડક્રોસ નવસારીના 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બિન તબીબ વ્યક્તિ એવા ચેરમેન પદે તુષારકાંત દેસાઈ ની વરણી

નવસારી જિલ્લામાં છેલ્લા 50 વર્ષથી માનવસેવા ને ઉજાગર કરતી અને તબીબી જગત માટે કરોડરજ્જુ બની રહેલી નવસારી રેડક્રોસના ઇતિહાસમાં તબીબ ન હોય તેવી વ્યક્તિ ચેરમેન પદે વરણી થવા પામી છે ચેરમેન પદે વરણી પામેલા તુષાર કાંત દેસાઈ નવસારી કેળવણી મંડળના પ્રમુખ બેન્ક ઓફ બરોડા ના ભૂતપૂર્વ પ્રાદેશિક મેનેજર અને ગિરિજા સિનિયર સીટીઝન લાઈબ્રેરીના ચાલક બળ છે.

વાઇસ ચેરમેન તરીકે ભૂતપૂર્વ આચાર્ય પ્રોફેસર ડો.જયંતીભાઈ નાયક તેમજ મંત્રી પદે ધર્મેશ કાપડિયા યથાવત રહ્યા છે જ્યારે સહમંત્રી તરીકે જિલ્લા આહીર સમાજના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રોફેસર સંજય આહીર ની વર્ણી થઈ છે ખજાનચી તરીકે દિપક જેરામ પટેલ કોથમડી યથાવત છે.

રેડક્રોસ નવસારી ના ભવન માટે પાર્કિંગ સાથે અનેક જરૂરિયાતો આગામી દિવસોમાં ઊભી થનાર છે ત્યારે નવ નિયુક્ત ટીમ અને રેડક્રોસ ના શુભેચ્છકો એક મંચે એક સુરે કામ કરશે તો પરિણામ લક્ષી ભગીરથ કાર્ય થશે

રેડક્રોસના તાતી જરૂરિયાતના કામો આ મુજબ છે

• સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી છે માત્ર કબજો મેળવવાનો બાકી છે.

૧.વિકલાંગ સહાય કેંદ્ર 

૨.થેલેસીમીયા સલાહ કેન્દ્ર 

૩.બ્લડ બેંક વિસ્તરીકરણ 

૪.સેમિનાર હોલ 

૫.પેરામેડિકલ,હેલ્થકેર એટેન્ડન્ટ, નર્સિંગ કોર્ષ

૫૦% જેટલુ બ્લડ સિવિલ હોસ્પિટલ, થેલેસિમિયા, સિકલસેલ, ડાયાલિસીસ વગેરે દર્દીઓ ને વિના મૂલ્યે કે રાહત દરે આપવામાં આવે છે. છેલ્લા ૩ વર્ષ માં રૂપિયા ૨ કરોડથી પણ વધુનું બ્લડ વિના મૂલ્યે કે રાહત દરે આપવામાં આવ્યું છે.

જમીન નો કબજો મળતાં નવું બિલ્ડીંગ ઊભી કરવા ફંડ ની જરૂરિયાત ઉભી થશે.

૧.પાર્કિંગ 

૨.ડીઝસ્ટર મેનેજમેન્ટ ગોડાઉન 

૩.જેરીયાટ્રીક (ઘડપણ સંચાલન) કેન્દ્ર 

૪.સીકલસેલ સારવાર કેન્દ્ર

વાઈસ ચેરમેન તરીકે પ્રો ડો જયંતીભાઈ નાયક, મંત્રી પદે શિક્ષણ વિદ ધર્મેશ કાપડિયા તથા સહમંત્રી પદે પ્રોફેસર સંજય આહીર ની વરણી

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *