વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા ચકાસણીનું આયોજન કરાયુ

વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા ચકાસણીનું આયોજન કરાયુ

રાષ્ટ્રીય સેવા યોજના વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી નવસારી અને લાયન્સ ક્લબ નવસારીના સંયુકત ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા તા. ૧૩/૦૬/૨૦૨૪ના રોજ સ્વ. શ્રી કૃણાલસિંહ ભદ્રેસસિંહ ચૌહાણની સાતમી પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પ તથા થેલેસેમિયા ચકાસણીનું આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે મળીને એમ કુલ ૪૯ યુનિટ રક્તદાન એકત્ર કર્યું હતું.આ ઉપરાંત સ્નાતક તેમજ પોલિટેકનિક વિદ્યાર્થીઓના કુલ ૧૧૩ જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડો. વી. બી. ખરાદી, આચાર્ય વેટરનરી કોલેજ દ્વારા રક્તદાન એ મહાદાન અને થેલેસેમિયા અંગેની સમજ આપીને વિધાર્થીઓને આ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સદર કાર્યકમમાં કોલેજના સ્ટાફ, લાયન્સ ક્લબના પ્રમુખ સમકિત  શ્રીમાલ, રાજેશ્રીબેન ખરાદી તથા અન્ય સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. અજય રાવળ પ્રોગ્રામ ઓફિસર, એન. એસ. એસએ ડો. વી. બી. ખરાદી, આચાર્ય ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરેલ હતી.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *