આપણો તિરંગો, આપણું ગૌરવ:નવસારી જિલ્લાના બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી

આપણો તિરંગો, આપણું ગૌરવ:નવસારી જિલ્લાના બીલીમોરા નગરમાં ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ તથા સાંસ્કૃતિક વેશભુષા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકામાં વી.એસ.પટેલ કોલેજ ખાતે યોજાયેલ ‘ હર ઘર તિરંગા’ યાત્રામાં નાગરિકો સહિત બાળકો જોડાઈને નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. જેમાં આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો દ્વારા ૭૫ મીટર લાંબા તિરંગાની યાત્રા, ભારતમાતા અને સ્વતંત્રતા સેનાનીઓની વેશભુષા ધારણ કરેલા બાળકો, પોલીસકર્મી તથા NCCના વિધાર્થીઓ દ્વારા પરેડ આખા કાર્યક્રમનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા બીલીમોરા નગરપાલિકાના બાળકો-મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહ બતાવ્યો છે. ત્યારે સૌ નગરવાસીઓ જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. જેનો મુખ્ય હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો છે.

આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ્લતા, ચીખલી પ્રાંત અધિકારીશ્રી મીતેશ પટેલ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર, બીલીમોરાના પી.આઈ તથા નગરપાલિકાના કર્મચારી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *