નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન ૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભુરાભાઈ શાહ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન ૨૦૨૪ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ

કેન્દ્રીય જળ શક્તિ વિભાગના કેબિનેટ મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર, પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ના રોજ જિલ્લા/ મહાનગરમાં થનાર સદસ્યતા અભિયાન-૨૦૨૪ લોન્ચિંગ કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને તેમજ માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં “પત્રકાર પરિષદ” નું આયોજન કરવામાં આવ્યું હતું

આ તબક્કે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ એ પત્રકાર પરિષદમાં માહિતીઓ આપતા જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સુચના મુજબ નવસારી જિલ્લા માં ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન – ૨૦૨૪ અંતર્ગત સમગ્ર જિલ્લામાં કુલ ત્રણ લાખ જેટલા પ્રાથમિક સદસ્યો બનાવવાનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે તેમણે સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંગે વિગતવાર માહિતીઓ આપી હતી

નરેશભાઈ પટેલે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા ના વિશેષ માર્ગદર્શન અંતર્ગત ચાલનાર પ્રાથમિક સદસ્યતા અભિયાન-૨૯૨૪ અંગે માહિતીઓ આપતા જણાવ્યું હતું કે સમગ્ર દેશની જેમ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ પ્રાથમિક સદસ્યતા અભિયાનને સફળ બનાવવા તમામ ધારાસભ્યો,શસંગઠન ને વિશેષ જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે જેને લઇ જિલ્લામાં ત્રણ લાખ સદસ્ય બનાવવાનો અભિયાન સુપેરે પાર પડશે.લોનચિંગ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ ભૂરા ભાઈ શાહે માજી કેબિનેટ મંત્રી અને ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને પક્ષ ના સિનિયર કાર્યકર્તા જયંતિભાઈ વનમાળીભાઈ પટેલ ને પ્રાથમિક સભ્ય બનાવ્યા હતા

આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શિતલબેન સોની,સદસ્યતા અભિયાન ના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઈ ગજેરા, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશ્વિનભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાન ના જિલ્લા સહ ઇન્ચાર્જ જીગરભાઈ દેસાઈ, મનીષભાઈ પટેલ,હેમલતાબેન ચૌહાણ,લોચન શાસ્ત્રી ઉપરાંત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *