નારણ લાલા કોલેજમાં ઇન્ડસ્ટ્રીઝ અકેડેમિયા મીટ આયામ-૨૦૨૪નું આયોજન કરાયું

નારણ લાલા કોલેજમાં ઇન્ડસ્ટ્રીઝ અકેડેમિયા મીટ આયામ-૨૦૨૪નું આયોજન કરાયું

નવી શિક્ષણ પધ્ધતિને અનુલક્ષીને નારણ લાલા કોલેજ, નવસારી ખાતે એક દિવસીય ઇન્ડસ્ટ્રીઝ- અકેડેમિયા મીટનું ‘આયામ-૨૦૨૪’ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ અને અકેડેમિયા વચ્ચે સેતુ બનાવવાનો હતો. જેથી ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અનુસાર વિધાર્થીઓને તાલીમ આપી શકાય.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થઈ હતી. કેમ્પસ ડાયરેક્ટર ડો. વી. ડી નાયકે પ્રાસંગિક ઉદબોધન કર્યું. આચાર્ય ડો. સુનિલ નાયકે આ કાર્યક્રમ વિશે સૌને માહિતગાર કરી મેહમાનોનું સ્વાગત કર્યું હતું. માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટના હેડ ડો. નફીસા પટેલે કોલેજની વિવિધ શેક્ષણિક સંશોધન પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન મહેશભાઈ કંસારા તથા વિવિધ ઇન્ડસ્ટ્રીઝના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી Beacon Group માંથી ડો. દિનેશ જોશી, ડો. એ. કે. વશિષ્ઠ, ડો. મનિષ પટેલ (Jay Research Foundation) વાપી, ડો. અમિત મેહતા ‘માં’ ફાઉન્ડેશન વાપી, ડો. મયુર કાપડીયા જી.એન.એફ.સી. ભરૂચ, ડો. શ્યામલ ડે – અતુલ લિમિટેડ, અતુલ, એન્ટોની અકારા-વસુધારા ડેરી ચીખલી, આદિત્ય ભારદ્વાજ – આર.કે હેલ્થકેર, ઉધના, ડો. કૃણાલ દેસાઈ – મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગનિક વાપી, આલોક વૈદ, SLS Research બીલીમોરા, રશ્મીન લાડ, મેથીક્સ ક્લિનીકલ સોલ્યુશન્સ અમદાવાદ, ચિંતન દેસાઈ, ફ્યુજન બાયોમેડ નવસારી, યોગેશ પાટીલ, સીરમ ઇન્સ્ટીટયુટ પુના જેવા ૧૩ મહાનુભાવોએ પોતાના અનુભવોનું ભાથું વિધાર્થીઓ તથા અધ્યાપકોને આપ્યું હતું. તથા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કાર્ય કોશલ્ય માટે પડકારોનો સામનો કરી સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતને કેવી રીતે સજ્જ કરવી એ અંગે રસપ્રદ ચર્ચાઓ થઇ હતી. આચાર્ય ડો. સુનિલ નાયકે આભાર વિધિ કરી હતી. સમ્રગ કાર્યક્રમનું સંચાલન ડો. સંકેત રાય અને જુહી બારોટે કર્યું હતું.

આ કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાનાં ચેરમેન એન્ડ મેનેજીંગ ટ્રસ્ટી  મહેશભાઈ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક, કો-ઓર્ડીનેટર શ્રીમતી ખ્યાતી કંસારા તથા સંસ્થાનાં આચાર્ય ડો. સુનિલ નાયકે સાયન્સ કોલેજનાં સ્ટાફનાં બધા સદસ્યોને અભિનંદન આપી બિરદવ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *