ઉડતા રાવણ પાસેથી આત્મલિંગ લેવા ગણપતિ ગોકર્ણમાં ગોવાળિયો બન્યા

ઉડતા રાવણ પાસેથી આત્મલિંગ લેવા ગણપતિ ગોકર્ણમાં ગોવાળિયો બન્યા

કર્ણાટકના સૌથી સુંદર રેતાળ સમુદ્ર બીચ ખાતે ગોકર્ણમાં પ્રાચીનકાળથી આ આત્મલિંગ આવેલું

રાવણના માતા ભગવાન શંકરના ભક્ત હતા. રાવણની માતા જે શિવલીંગની પૂજા કરતી હતી તે ઈન્દ્રએ દરિયામાં ફેંકી દેતાં અન્ન ખાવાનું છોડી દેવા સાથે ભારે વ્યથા પામી હતી. રાવણે કૈલાસ પર જઈને ભગવાન શંકરને પ્રસન્ન કરીશ એમ પોતાની માતાને વચન આપ્યું હતું. રાવણે કૈલાસ પર્વત પર પહોંચી ભગવાન શિવની આકરી તપસ્યા કરવા સાથે શિવ તાંડવ સ્તોત્રની રચના કરી હતી. પોતાના શરીર પર રાવણ શિવજીની પ્રસન્નતા માટે ભારે ઘા માર્યા હતા. રાવણની પવિત્ર ભકિત જોઈ શિવજી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા.

રાવણે આત્મલિંગ માંગણી કરતાં ભોળાનાથ શિવજીએ સૂર્ય જેવું પ્રકાશિત આત્મલિંગની આપવા સાથે કહ્યું કે લંકા જતા રસ્તામાં કોઈપણ જે જગ્યાએ આ શિવલીંગ મુકશે ત્યાં હું ચોટી જઈશ ગોકુળના આકાશ પરથી રાવણ  આત્મલિંગ લઈને ઉડયા હતા ત્યારે તેને લધુશંકા ખૂબ લાગતા એણે નીચે જોયું તો કોઈ ત્યાં ગોવાળીયો છે અને તેને આ આત્મલિંગ આપી તેને વિનંતિ    કરી કે આ આત્મલિંગ નીચે મુકતો નહિં. હું હમણા જ લઘુશંકા કરીને આવું છું. ગોવાળીયાના વેશમાં ગણપતિ દાદા પોતે હતા. રાવણને એક તરફ એકધારી લઘુશંકા બીજી તરફ સંધ્યા સ્નાન પણ કરવાનું  ગોવાળીયા એવા ગણેશે કીધું કે જરા જલ્દી આવો નહીંતર હું આ આત્મલિંગ જમીન પર મુકી દઈશ.

ગણેશ ત્રણેક વખત રાવણને બુમો પાડી પણ સમયસર ન આવતા ચાલાકી પૂર્વક આત્મલિંગ જમીન ઉપર મુકી દીધું. ગાયના ટોળામાં ગણેશજી છૂપાઈ ગયા આત્મલિંગ જમીનમાં ઉતરતું હતું ત્યારે રાવણ દોડીને આવ્યો અને એને ખેંચવા કરતા શિવલીંગ ગાયના કાન જેવું ખેચાયું આથી જગ્યાનું નામ ગોકર્ણ અને રાવણને મૂર્છા આવી ગઈ આ આત્મલિંગનું નામ  મહાબલેશ્વર આપ્યું હતું અને ગણેશજીને માથામાં શસ્ત્રથી જોરદાર મારતા ગણેશજીનું માથે ખોપડીના ભાગે ચિરાય ગયું હતું.આમ ગોકર્ણમાં ગણેશ મંદિર અને આત્મલિંગ રૂપે મહાબલેશ્વ અને પાછળ માં તામ્રગૌરીનું મંદિર આવેલું છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *