વાંસદાના મોટી વાલઝર દિપડાના હુમલામાં ઘાયલ દશ વર્ષીય બાળકી ની સાંસદ ધવલ પટેલ મુલાકાત લીધી,પરિવાર બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી

વાંસદાના મોટી વાલઝર દિપડાના હુમલામાં ઘાયલ દશ વર્ષીય બાળકી ની સાંસદ ધવલ પટેલ મુલાકાત લીધી,પરિવાર બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી

વાંસદાના મોટી વાલઝર ગામે ખાતે ડુંગરી ફળિયામાં રહેતી દશ વર્ષીય બાળકી ઉપર દીપડાએ ગતરોજ સાંજના સમયે અચાનક આવી હુમલો કર્યો હતો. ડુંગરી ફળીયામાં શિક્ષક કમલેશભાઈની દશ વર્ષીય બાળકી અંતરા કમલેશભાઈ પટેલ પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકી ગળાના ભાગે તથા કાન પાસે નખ તથા દાંતના ઊંડા ઘા થઈ જવા પામ્યા હતા તેને ગંભીર ઇજા થઇ હતી. દશ વર્ષીય બાળકીને તુરંત સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી.

આ સમગ્ર ઘટનાની જાણ વાસંદા પશ્ચિમ વિભાગ વન વિભાગને થતાં દીપડાને પકડવા પાંજરું મુકવાની કામગીરી હાથ ધરાઈ છે.પશ્ચિમ વનવિભાગ આર.એફ.ઓ જે.ડી રાઠોડ સહિત સ્ટાફ પાંજરૂ ગોઠવી દિપડાને પકડવા માટે તે અંગે ની કાર્યવાહી હાથ ધરાઈ છે

વાંસદા ખાતે જરૂરી સારવાર બાદ આ બાળકી વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવી છે.આ ધટનાની જાણ થતા મોટી વાલઝર ગામે દીપડાના હુમલામાં ઘાયલ બાળકી ની સુરત ની હોસ્પિટલમાં મુલાકાત લેતા લોકસભા ના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઇ આજરોજ હોસ્પીટલ ખાતે ઈજાગ્રસ્ત બાળકીની રૂબરૂ મુલાકાત લઈ ખબર અંતર જાણી હતી. તેમજ હોસ્પીટલ ના ડોકટર સાથે ચર્ચાઓ કરી બાળકીના સારવારમાં કોઈ કચાસ ન રહે, સારી દેખરેખ થાય, એ માટે જણાવ્યું હતું, તેમજ બાળકીના પરિવારને બાળકી જલ્દી સ્વસ્થ થાય એ માટે હૂંફ આપી, બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી હતી.

વાંસદાના મોટી વાલઝર દિપડાના હુમલામાં ઘાયલ દશ વર્ષીય બાળકી સાંસદ ધવલ પટેલ મુલાકાત લીધી,પરિવાર બનતી તમામ મદદ કરવાની બાહેંધરી આપી

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *