રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત વિરોધી કરેલા નિવેદનને પગલે નવસારીમાં ભાજપ દ્વારા ધરણાં કરાયા

રાહુલ ગાંધીએ અમેરિકામાં અનામત વિરોધી કરેલા નિવેદનને પગલે નવસારીમાં ભાજપ દ્વારા ધરણાં કરાયા

ભારત દેશના વિરોધી નેતા રાહુલ ગાંધીની બેધારી નીતિથી દેશના બંધારણ પ્રત્યેની નિષ્ઠા નિમ્ન કક્ષાએ લઈ જઈ અઘોષિત વૈચારિક યૂદ્ધનો આરંભ કરી ચૂક્યા છે. દેશમાં બંધારણ બચાવવાની બૂમરેંગ અને વિદેશની ધરતી પરથી કચડાયેલા દલિત, આદિવાસી, સામાજિક કે આર્થિક રીતે નબળા વર્ગની સૈદ્ધાંતિક અધિકારનું નિકંદન કાઢી નાખીએ એવા બંધારણ વિરુદ્ધનું નિવેદન આપી બે મોઢાની ચકરણની સંકુચિત વિચારથી રાષ્ટ્ર વિરુધીનો મુખવટો બહાર પડ્યો છે.

ભારતીય જનતા પાર્ટી એક સંવેદનશીલ રાજકીય પક્ષ છે જેમને અનામતની સુરક્ષા માટે તો કટિબદ્ધ છે પણ econimicaly weak section(EWS) આર્થિક રીતે નબળા વર્ગને પણ અનામતની ફાળવણી કરી સમાજને અને આ દેશને સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે.

આજના ધરણાં કાર્યક્રમમા માજી કેબિનેટમંત્રી અને વડોદરા મહાનગરના પૂર્વપ્રમુખ ડો.જીવરાજભાઈ ચૌહાણ,નવસારી જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ,પ્રદેશ મંત્રી શીતલબેન સોની, માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશભાઈ પટેલ,ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ઓબીસી પ્રદેશ મહામંત્રી સનમભાઇ પટેલ,જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,જીગ્નેશભાઈ નાયક,અનુસૂચિત જાતિ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ પરમાર,નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ,બીજેપી શહેર પ્રમુખ પરેશભાઈ કસુંદ્રા,ત્રણેય મોરચાના જિલ્લા,મંડળના પ્રમુખ મહામંત્રી સાથે મોટી સંખ્યામાં આગેવાન કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.સુરેશભાઈ મકવાણા દ્રારા ડો. બાબા સાહેબ આંબેડકર ના ત્યાગપત્રનું વાંચન કર્યું હતું.

પ્રમુખ વક્તા જીવરાજભાઈએ વિસ્તૃત માહિતી આપી કોંગ્રેસ ની વર્ષોથી ઘરથુથીમાં રહેલી માનસિકતા વ્યક્ત કરી હતી.જિલ્લા પ્રમુખ ભુરાભાઈએ રાહુલની બે મોઢાની અને દેશને તોડવાની કૂટનીતિ ની ટીકા કરી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.આ ધરણાં કાર્યક્રમનું આયોજન ઓબીસી જિલ્લાપ્રમુખ શૈલેષ માલી અને એસ.સી જિલ્લાપ્રમુખ નિલેશ ગોજલે ,અને અરવિંદભાઈ ગરાસિયા દ્રારા કર્યું હતું. ધરણાં સભાનું સંચાલન શૈલેષ માલી એ કર્યું હતું.અને અંતમાં રાહુલને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તે માટે રામધૂન કરી ધરણાં સમાપન કાર્ય હતા

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *