પડતર પ્રશ્નો ઉકેલ ન આવે તો ક્વોરી ઉદ્યોગ બંધની ચીમકી: ક્વોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વારંવાર રજુઆત છંતાય હકારાત્મક નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ નવસારી કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું

પડતર પ્રશ્નો ઉકેલ ન આવે તો ક્વોરી ઉદ્યોગ બંધની ચીમકી: ક્વોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વારંવાર રજુઆત છંતાય હકારાત્મક નિરાકરણ ન આવતા આજે વેપારીઓએ નવસારી કલેક્ટર આવેદન પત્ર પાઠવ્યું

ગુજરાત રાજ્યમાં કવોરી ઉદ્યોગને લગતા પાયારૂપ પ્રશ્નોનું વાંરવાર સંબધિત આફિસોમાં જરૂરી રજૂઆત છંતાય હકારાત્મક નિરાકરણ આજદિન સુધી ન આવતાં આજે નવસારી જિલ્લાના ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ નવસારી કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને આવેદન આપીને પોતાની વ્યથા તેમની સમક્ષ ઠાલવી હતી સાથે જો આગામી 26 ઓક્ટોબર સુધી નિરાકરણ ન આવે તો નવસારીની તમામ ક્વોરી બંધ થશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્યમાં આવેલી ક્વોરી ઉદ્યોગમાં હાલમાં પર્યાવરણીય મંજુરી અને ખાણકામ આયોજન (Environment Clearance & Mining Plan) કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 50% થી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ (ATR) બંધ કરી ઉદ્યોગ ને બંધ કરવામાં આવેલ છે. આ મામલે સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકી નથી. જેથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારની 60 ટકા જેટલી લીઝને રોયલ્ટી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેથી આ મામલે રાજ્ય સરકાર હકારાત્મક પગલાં લે તે માટે રાજ્યના ક્વોરી એસોસિયેશન દ્વારા ૨ ઓક્ટોબરથી રાજયમાં 2000 જેટલી કવોરી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં તમામ ઉદ્યોગ રાબેતા મુજબ હાલ કાર્યરત છે. પરંતુ ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉદ્યોગને સમર્થન આપવા માટે આજે નવસારી જિલ્લાના કવોરી ઉદ્યોગ એસોસિએશન ના સભ્યો નવસારી કલેક્ટર કચેરીએ હાજર રહીને પોતાના પડતર પ્રશ્નો હકારાત્મક ઉકેલ આવે તે માટે માંગ સાથેનું આવેદન પત્ર કલેક્ટર ને સુપરત કર્યું હતું.

ક્વોરી ઉધોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અગાઉ વારંવાર રજુઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી હકારાત્મક નિકાલ આવેલ નથી. અગાઉ તા. ૩/૦૧/૨૦૧૧, તા. ૧૯/૧૨/૨૦૧૬ ત્યારબાદ તા.૦૬/૧૨/૨૦૧૮ તથા ૧૭/૦૫/૨૦૨૨ માં સરકાર દ્વારા કમિશ્નર ની સહી થી લેખિતમાં બાંહેધરી આપવામાં આવેલ હતી પરંતુ ર વર્ષ થી વધુ નો સમય થયો હોવા છતાં આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ નથી.

 

હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 60% થી વધુ ખાણોનાં રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગ પ્રભાવિત થયો છે. આગામી 26મી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર કોઈ હકારાત્મક ઉકેલ ન લાવે તો સમગ્ર ગુજરાતની 2000 જેટલી ક્વોરી ઉદ્યોગ બંધ થશે તેવી ચીમકી એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જેની સીધી અસર ક્વોરી સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગ અને વેપાર ઉપર થઈ શકે તેમ છે. તેમજ તમામ સરકારી અને ખાનગી બાંધકામો સહિત અન્ય ઉદ્યોગ ઉપયોગ આવતી ચીજવસ્તુઓ ઉપર પડશે.  ક્વોરી ઉદ્યોગના પર્યાવરણને લગતા નિયમોમાં રાજ્ય સરકાર હળવાશ લાવે તેવી માંગ પણ નવસારી ક્વોરી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *