વાંસદામાં વધુ એક દીપડી પાંજરે પુરાઈ: ૧૦ દિવસમાં ત્રણ હુમલાની ધટના બાદ વનવિભાગે બે દિપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો

વાંસદામાં વધુ એક દીપડી પાંજરે પુરાઈ: ૧૦ દિવસમાં ત્રણ હુમલાની ધટના બાદ વનવિભાગે બે દિપડી પાંજરે પુરાતા લોકોએ રાહત શ્વાસ લીધો

નવસારી જિલ્લાના વાસદા તાલુકા દસ દિવસ અગાઉ પ્રથમ મોટી વાલઝર ખાતે બાળકી ઉપર હુમલો થયો હતો ત્યારબાદ ત્રણ દિવસ બાદ ઉપસળ બંને ગામોમાં બે બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો એ ઘટનાની ત્યારે સહી સુકાઈ નથી ત્યારે વાંસદા તાલુકાના સીંગાડ ગામે પુખ્ત વયના યુવક ઉપર ગઈકાલે વહેલી સવારે હુમલાની ઘટના બનવા પામી છે. મોટી વાલઝર ખાતે વન વિભાગ દ્વારા 20 જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવ્યા હતા જેમાં આજે વહેલી સવારે એક દીપડી અંદાજે એકથી બે વર્ષની પાંજરે હતો. વન વિભાગની આ અંગે જાણ કરાતા વન વિભાગ દ્વારા આ દિપડીનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ડાંગ જિલ્લાના નવતાળ ખાતે બનાવવામાં આવેલ રેસ્ક્યુ સેન્ટર ખાતે આ દીપડીને મોકલી આપવામાં આવેલ છે

દિપડાના હુમલા બચવા લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી

નવસારી જિલ્લામાં દીપડા અને માનવ વચ્ચે ઘર્ષણ દિવસે સતત વધારો નોંધાયો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો તેમજ ખેતીમાં કામ કરનારા લોકોએ દીપડાના હુમલાથી બચવા નાના બાળકો એકલા નહિં મુકો વાંકા વળી કામકાજ દિપડાઓ પોતાનો શિકાર સમજી બેસે છે અને માણસો ઉપર હુમલો કરે છે થોડી થોડી વારે ઉભા થઈ કામગીરીઓ કરો જેથી દિપડા તેની કરતા હાઈટ વાળા વ્યક્તિને જોખમકારક સમજી હુમલો કરવાનું ટાળે છે.સાંજના સમયે નાના બાળકો ને એકલા રમવા ન મોકલો.

ખેતરમાં કામકાજ કરવા જતા પહેલા ફટાકડા ખેતરની પાળ અથવા રસ્તાઓ ઉપર ફોડો જેથી અવાજ કારણે દિપડો ખેતરમાં હશે તો તે ત્યાંથી નીકળી જશે.ખેતીમાં વાવણી કે કાપણી કરતી વખતે ગીતો વગાડો અથવા થાળી અને વગાડો તો પણ દિપડાઓ હશ તો બહાર નીકળી જશે. આપના પશુઓ ગાય, ભેંસ તેમજ બકરાઓ ખુલ્લામાં ન બાંધી રાખો, છાપરા નીચે અથવા ગ્રીલ કરેલ શેડ આજુબાજુ લાઈટ ચાલુ રાખો અથવા સળગતી ચીજવસ્તુઓ કરો જેથી પાળતુ પશુઓ હુમલો મહદ અંશે બચાવી શકાય. માંસમચ્છી સાફસફાઇ કે બનાવ ખાધા બાદ નકામી વસ્તુઓ જેવા કે હાડકા, ભીંગડા તેમજ કાંટા વિગરે ઘરથી દૂર નાંખો અથવા ઉંડો ખાડો કરી દાટી દો જેથી તેની ગંધ થકી દિપડાઓ ઘર નજીક ન આવી જાય. તેમજ ઘરની બહાર સુવાનું ટાળો

દક્ષિણ ગુજરાત ખેડૂતો શેરડી વાવેતર મોટા પ્રમાણ કરવામાં આવે દિપડાઓને રહેવા માટે શેરડી આદર્શ સ્થાન છે. સુરગ મીલો તેમજ ખેડૂતો ખાસ વિનંતી શેરડી કાપણી પહેલા જે લોકો શેરડી સળગાવે છે તે બંધ કરો જો શેરડી ચારે બાજુ સળગાવશો તો અમે રહેલા બચ્ચા દાઝી જશે કે સળગી મરી જશે તો બચ્ચો માટે દિપડી રઘવાઈ બંને તો લોકો ઉપર હુમલો કરતી થઈ શકે તેમજ અન્ય વન્યજીવો પણ દાઝવા કે સળગી જવાના કિસ્સાઓ બની શકે છે

આપના ઘર કે ગામમાં દિપડાઓ કે અન્ય વન્યજીવો દેખાય તો સ્થાનિક વનવિભાગ કે એન.જી.ઓ સભ્યો ને જાણ કરો અથવા ગુજરાત રાજ્ય વન વિભાગે મદદ માટે હેલ્પલાઈન નંબર ટોલ ફ્રી નંબર 1800-233-2636 અથવા+918320002000 અથવા 1926 નંબર શરૂ કર્યા છે તો અહિં સંપર્ક કરો.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *