નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા સંવિધાન દિવસની મહત્ત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં સંવિધાનની જાગૃતિ અને સંવિધાનના દૈનિક જીવનમાં મહત્વ વિશે સમજ ઊભી કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત સંકલ્પ પદયાત્રાથી કરવામાં આવી હતી, જે ફુવારા સર્કલથી શરૂ થઈને એમ. બી. ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ સુધી પહોંચી હતી. પદયાત્રા દરમિયાન, યુવાનોએ “આપણા સંવિધાન, આપણો સ્વાભિમાન” ના ઉત્સાહી નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.

આ પ્રસંગે, ઉપસ્થિત મહેમાનોએ યુવાનોને સંવિધાનનું મહત્વ અને મૂળ ફરજો તથા સમાનતા, એકતા અને સ્વતંત્રતા અંગે માર્ગદર્શન આપ્યું હતું . તેમને વધુ માહિતી આપતા તેઓએ યુવાનોને સંવિધાનના વિધાન અને દેશના વિકાસમાં તેના મહત્વ અંગે જાગૃત કર્યા.

આ કાર્યક્રમમાં નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે યુવાઓને સંવિધાન વિશે વધુ જાણકારી અને સમજ મેળવવાનો અવસર આપતી હતી. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને ભેટ પાઠવવામાં આવ્યું.

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *