નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા સંવિધાન દિવસની મહત્ત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં સંવિધાનની જાગૃતિ અને સંવિધાનના દૈનિક જીવનમાં મહત્વ વિશે સમજ ઊભી કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત સંકલ્પ પદયાત્રાથી કરવામાં આવી હતી, જે ફુવારા સર્કલથી શરૂ થઈને એમ. બી. ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ સુધી પહોંચી હતી. પદયાત્રા દરમિયાન, યુવાનોએ “આપણા સંવિધાન, આપણો સ્વાભિમાન” ના ઉત્સાહી નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.

આ પ્રસંગે, ઉપસ્થિત મહેમાનોએ યુવાનોને સંવિધાનનું મહત્વ અને મૂળ ફરજો તથા સમાનતા, એકતા અને સ્વતંત્રતા અંગે માર્ગદર્શન આપ્યું હતું . તેમને વધુ માહિતી આપતા તેઓએ યુવાનોને સંવિધાનના વિધાન અને દેશના વિકાસમાં તેના મહત્વ અંગે જાગૃત કર્યા.

આ કાર્યક્રમમાં નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે યુવાઓને સંવિધાન વિશે વધુ જાણકારી અને સમજ મેળવવાનો અવસર આપતી હતી. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને ભેટ પાઠવવામાં આવ્યું.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *