અયોધ્યા રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણનિમિત્તે નવસારીની એ.બી.સ્કૂલમાં ભક્તિ ભાવથી ઉજવણી થઈ

અયોધ્યા રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણનિમિત્તે નવસારીની એ.બી.સ્કૂલમાં ભક્તિ ભાવથી ઉજવણી થઈ

નવસારીની એ.બી.સ્કૂલમાં આજરોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના આનંદમાં રંગેચંગે સ્તુતિ, ભજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.  

ગતવર્ષે 22/01/2024 ના રોજ પોષ સુદ દ્વાદશ ના રોજ અયોધ્યામાં રામમંદિરમાં શ્રી રામલલ્લા બિરાજમાન થયા હતા. શાંતિ અને સમૃદ્ધિ પૂર્ણ વાતાવરણમાં આજરોજ તિથિ અનુસાર એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે નવસારીની એ.બી.સ્કૂલમાં શાળાના પ્રાયમરીના વિદ્યાર્થીઓ રામાયણના અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા હતા.

શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા, ભાવનાબેન બોડા તથા આચાર્ય ગણ તેજશભાઈ પંડ્યા, અમૃતભાઈ છત્રોલા તથા ચેતનાબેન પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં શાળાના શિક્ષીકા કેતકીબેન નાયકે રામાયણને લગતી વાતો કરી હતી. ત્યારબાદ શાળાના શિક્ષીકા બીનાબેન મિસ્ત્રીએ વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના, ભજન તૈયાર કરાવ્યા હતા. તેની ભજવણી પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે કરી હતી. અંતમાં શાળના શિક્ષક પિનાકિનભાઈ એ આયોધ્યાનો આખો ઇતિહાસ જણાવ્યો હતો તેમજ રામમંદિર અંગેના મહત્વપૂર્ણ ચુકાદાને લગતી બાબતો અને રામમંદિરનું નિર્માણ કઈ રીતે થયું તેના વિશે જાણકારી આપી હતી. હનુમાન ચાલીસા, રામધૂનથી સમગ્ર એ.બી.સ્કૂલનું સંકુલ રામમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.

Related post

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ: ગુજરાતનું પાંચમું…

છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ,જૈવ વૈવિધ્યતા,સ્થાનિક વિકાસ- પ્રવાસન અને વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે:…
ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો

ટ્રેનમાં મુસાફરી કરે છે કિંગ કોબ્રા? વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો…

બાયોટ્રોપિકા અભ્યાસ: ગોવામાં કિંગ કોબ્રા અને રેલવે વચ્ચે અજાણ કડી વૈજ્ઞાનિક અભ્યાસમાં શોધી કઢાઈ  સુરત સ્થિત હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને …
સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે વિવાદ, શાળાના પ્રિન્સિપાલે ભય ફેલાવાનો આક્ષેપ: ડેપ્યુટી કમિશનરનો ખુલાસો: “અમને લેખિત ફરિયાદ મળી હતી”

સ્કૂલ ટોયલેટ બ્લોક વિવાદ: સંસ્કાર ભારતી શાળામાં બાંધકામ મુદ્દે…

નવસારી શહેરના દુધિયા તળાવ વિસ્તારમાં આવેલી જાણીતી સંસ્કાર ભારતી શાળામાં શૌચાલય (Toilet Block) બાંધકામ મુદ્દે વિવાદ ઊભો થયો છે. શાળા પરિસરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *