અયોધ્યા રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણનિમિત્તે નવસારીની એ.બી.સ્કૂલમાં ભક્તિ ભાવથી ઉજવણી થઈ

અયોધ્યા રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણનિમિત્તે નવસારીની એ.બી.સ્કૂલમાં ભક્તિ ભાવથી ઉજવણી થઈ

નવસારીની એ.બી.સ્કૂલમાં આજરોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના આનંદમાં રંગેચંગે સ્તુતિ, ભજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.  

ગતવર્ષે 22/01/2024 ના રોજ પોષ સુદ દ્વાદશ ના રોજ અયોધ્યામાં રામમંદિરમાં શ્રી રામલલ્લા બિરાજમાન થયા હતા. શાંતિ અને સમૃદ્ધિ પૂર્ણ વાતાવરણમાં આજરોજ તિથિ અનુસાર એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે નવસારીની એ.બી.સ્કૂલમાં શાળાના પ્રાયમરીના વિદ્યાર્થીઓ રામાયણના અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા હતા.

શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા, ભાવનાબેન બોડા તથા આચાર્ય ગણ તેજશભાઈ પંડ્યા, અમૃતભાઈ છત્રોલા તથા ચેતનાબેન પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં શાળાના શિક્ષીકા કેતકીબેન નાયકે રામાયણને લગતી વાતો કરી હતી. ત્યારબાદ શાળાના શિક્ષીકા બીનાબેન મિસ્ત્રીએ વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના, ભજન તૈયાર કરાવ્યા હતા. તેની ભજવણી પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે કરી હતી. અંતમાં શાળના શિક્ષક પિનાકિનભાઈ એ આયોધ્યાનો આખો ઇતિહાસ જણાવ્યો હતો તેમજ રામમંદિર અંગેના મહત્વપૂર્ણ ચુકાદાને લગતી બાબતો અને રામમંદિરનું નિર્માણ કઈ રીતે થયું તેના વિશે જાણકારી આપી હતી. હનુમાન ચાલીસા, રામધૂનથી સમગ્ર એ.બી.સ્કૂલનું સંકુલ રામમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *