ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીના કચેરીના આદેશ મુજબ, 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025ના સંદર્ભમાં ગુરુકુલ વિદ્યામંદિર, સુપામાં “મતદાનથી વિશેષ કઈ નથી ” “હું અવશ્ય મતદાન કરીશ” થીમ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દરમ્યાન મતદાતા દિવસના મહત્વ વિશે માહિતી મેળવી અને મતદાન કરવું શા માટે આવશ્યક છે તે બાબતે ચિંતન કર્યું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે  સરસ્વતીબેન ચૌધરી અને અંજનાબેન પટેલે અનોખું યોગદાન આપ્યું હતું.

વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ માટે ગુરુકુળમાં ડિબેટ અને ભાવિ સમયમાં વેબીનાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ઘડવામાં આવી છે. ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુકુલ વિદ્યામંદિર એક સદીથી વધુ જૂની શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં આધુનિક અને પરંપરાગત શિક્ષણનું સંયોજન પ્રદાન થાય છે. શાળાની આ સફળ કાર્યક્રમ માટે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *