ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીના કચેરીના આદેશ મુજબ, 15 મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 2025ના સંદર્ભમાં ગુરુકુલ વિદ્યામંદિર, સુપામાં “મતદાનથી વિશેષ કઈ નથી ” “હું અવશ્ય મતદાન કરીશ” થીમ પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા દરમ્યાન મતદાતા દિવસના મહત્વ વિશે માહિતી મેળવી અને મતદાન કરવું શા માટે આવશ્યક છે તે બાબતે ચિંતન કર્યું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે  સરસ્વતીબેન ચૌધરી અને અંજનાબેન પટેલે અનોખું યોગદાન આપ્યું હતું.

વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતિ માટે ગુરુકુળમાં ડિબેટ અને ભાવિ સમયમાં વેબીનાર જેવા કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ઘડવામાં આવી છે. ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓના અનેરા ઉત્સાહ ને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુકુલ વિદ્યામંદિર એક સદીથી વધુ જૂની શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં આધુનિક અને પરંપરાગત શિક્ષણનું સંયોજન પ્રદાન થાય છે. શાળાની આ સફળ કાર્યક્રમ માટે જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *