નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી:ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું

નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી:ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું

૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે અન્વયે ૧૫ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જણાવ્યું હતુ કે, ‘‘મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકી આપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેક મતદારે જ્ઞાતિ– જાતિના ભેદભાવથી પર રહીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. કલેક્ટરે આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમામ નાગરિકોને મતદાનનો સમાન અધિકાર છે તેમ જણાવી લોકશાહી વિશે સચોટ માર્ગદર્શન નાગરિકોને પૂરુ પાડયું હતું.

આ પ્રસંગે ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વયોવૃદ્ધ મતદાર અને દિવ્યાંગ મતદારોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવા તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા લોકો કટિબદ્ધ થયા હતા.આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ,નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *