નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી:ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું

નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી:ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું

૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે અન્વયે ૧૫ મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમ એસ એસ અગ્રવાલ કોલેજ નવસારી ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે જણાવ્યું હતુ કે, ‘‘મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકી આપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેક મતદારે જ્ઞાતિ– જાતિના ભેદભાવથી પર રહીને રાજ્ય-રાષ્ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. કલેક્ટરે આપણો દેશ આઝાદ થયો ત્યારથી તમામ નાગરિકોને મતદાનનો સમાન અધિકાર છે તેમ જણાવી લોકશાહી વિશે સચોટ માર્ગદર્શન નાગરિકોને પૂરુ પાડયું હતું.

આ પ્રસંગે ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના અધિકારી/ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વયોવૃદ્ધ મતદાર અને દિવ્યાંગ મતદારોનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવવા તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા લોકો કટિબદ્ધ થયા હતા.આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ,નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *