આવતીકાલે જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી કરાશે

આવતીકાલે જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી કરાશે

નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જલાલપોર તાલુકાના દાંડી રોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ મટવાડ ગામે વન અને પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશભાઇ પટેલ અધ્યક્ષતામાં યોજાશે. જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. કાર્યક્રમના સ્થળે કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમ સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજિત રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રિહર્સલ દરમિયાન કલેકટરશ્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.

જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરળ સુગમ રીતે પાર પડે તે માટે વિવિધ વિભાગોએ રિહર્સલમાં ભાગ લીધો હતો અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના ગણતંત્ર દિનની ઉજવણીનું મટવાડ ગામે રિહર્સલ કરાયું

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *