દિપડાનો ચોથો હુમલો નોંધાયો: વાંસદા તાલુકામાં દિપડા ફરી એકવાર હુમલો, શેરડીના ખેતરમાં રમી રહેલા 8 વર્ષીય બાળક પર હુમલો કર્યો, ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલ સારવાર હેઠળ

દિપડાનો ચોથો હુમલો નોંધાયો: વાંસદા તાલુકામાં દિપડા ફરી એકવાર હુમલો, શેરડીના ખેતરમાં રમી રહેલા 8 વર્ષીય બાળક પર હુમલો કર્યો, ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલ સારવાર હેઠળ

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી ડુંગરાળ પ્રદેશ એવા વાંસદા તાલુકામાં મોટીવાલઝર તેમજ ઉપસળ બે બાળકીઓ ઉપર દિપડાએ હુમલો ત્યારબાદ સિંગાડ ગામે પુરુષ ઉપર હુમલો ફરી એકવાર દીપડાની ચોથી હુમલાની ઘટના બનવા પામી છે. આજે ધાકમાળ ગામે ઉપલું ફળિયું સાંજના સમયે ઘર નજીક આવેલા શેરડીના ખેતરમાં રમી રહેલા આઠ વર્ષીય આરવ રાજેન્દ્રભાઈ મહાકાલ નામનું બાળક પર દીપડાએ અચાનક હુમલો કયો હતો.હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલ રહી છે. ઘટનાની જાણ થતાં જ વાસંદા પૂર્વ નોર્મલ વન વિભાગનો કાફલો આર.એફ.ઓ ચેતન પટેલ સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચી ગયો હતો.

આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. વન વિભાગના અધિકારીઓએ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા અને સાંજના સમયે બાળકોને એકલા ન રમવા કે મુકવા સૂચના આપવામાં આવી છે.

વાંસદા પંથકમાં મોટીવાલઝર તેમજ ઉપસળ બે બાળકો ઉપર દિપડાએ હુમલો ત્યારબાદ સિંગાડ ગામે પુરુષ ઉપર હુમલો

વાંસદા પંથકમાં દિપડાના હુમલાની ચોથી ધટના બનવા પામી 

Related post

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં પહોંચાશે અંતરિયાળ

​સીએમનો દક્ષિણ ગુજરાતના પ્રવાસનને ‘બૂસ્ટર ડોઝ’: હવે આંખના પલકારામાં…

​જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત, જેવા મોટા શહેરોમાં વસવાટ કરો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક જંગલો તેમજ નયનરમ્ય પ્રવાસન…
GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો કરાવ્યો શુભારંભ

GIFT સિટીમાં યોજાઈ GEF 2026, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી…

ન્યૂઝ કેપિટલ નેટવર્ક આયોજિત ગિફ્ટ ઈકોનોમિક ફોરમમાં ડે. સીએમ હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, મહાનુભાવો રહ્યા હાજર, ગુજરાતના આર્થિક રોડમેપ વિશે થઈ…
શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને ‘શ્રી મહાદેવ દેસાઈ સેવક પુરસ્કાર’ અર્પણ કરાયો

શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા ડો. ગિરીશચંદ્ર નાયકને…

સમાજ સેવા અને માનવતાના ક્ષેત્રમાં દીર્ઘકાલીન યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવાની પરંપરાને આગળ ધપાવતા શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ (સ્વપ્ન લોક સોસાયટી,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *